SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ • ૧૪૭ દીક્ષા લઈને કાંઈ ઉકાળવાનો નથી, એ વાત ત્યાગીઓની સફળતા-નિષ્ફળતાનો ઇતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણા દેશમાં અને સમાજમાં, તો ત્યાગીઓની ભારે જરૂર છે. સેવા માટે ઝંખનાર આપદ્રગ્રસ્ત લોકો અને પ્રાણીઓનો પાર નથી. સેવકો શોધ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાનો વિરોધ કેવી રીતે હોઈ શકે? વિરોધ તો દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઊભો થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતીઓ જો પોતાના વિરોધીઓનું મોટું પ્રામાણિકપણે અને હંમેશને માટે બંધ જ કરવા માગતા હોય, અને પોતાના પક્ષનો ખરીદેલો નહિ પણ સાચો જ વિજય માગતા હોય તો, તેમની ફરજ એ છે કે તેઓ દિક્ષાને સેવાનું સાધન બનાવે. કોઈ એમ ન કહે અને ન સમજે કે સેવા સાથે દીક્ષાનો શો સંબંધ? જો દીક્ષાનો મૂળ ઉદ્દેશ શુદ્ધજીવનમાં હશે અને તે માટેનો સતત પ્રયત્ન હશે તો દીક્ષાને સેવા સાથે કશો વિરોધ જ નથી; અને જો એ મૂળ ઉદ્દેશ જીવનમાં નહિ હોય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હોય તો તેવી દીક્ષા જેમ બીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવા નહિ સાધે એ નિઃશંક છે. એટલે જેમ હંમેશાં બનતું આવ્યું છે તેમ આજે પણ સેવા લેવા યોગ્ય વર્ગ મોટો હોવાથી સાચી દીક્ષાની સૌથી વધારેમાં વધારે ઉપયોગિતા છે. દીક્ષાના પક્ષપાતીઓ જો આ વસ્તુ સમજવામાં એકરસ થઈ જાય તો હજારો માબાપો પોતાનાં બે બાળકોમાંથી ઓછામાં ઓછું એક તો સાધુને ચરણે ભાવપૂર્વક ધર્યા વિના નહિ રહે. આજે છાત્રાલયોમાં અને વિદ્યાલયોમાં બાળકો ઊભરાય છે, તેમને માટે પૂરતી જગ્યાઓ નથી. માબાપો પોતાના બાળકને તે સ્થળે મૂકવા તલસે છે અને પોતાના બાળકને નીતિમાન તથા વિદ્વાન જોવા ભારે તનમના ધરાવે છે. એવી સ્થિતિમાં દીક્ષા આપનાર ગુરુવર્ગ જો પોતાની પાસે અપાર જ્ઞાનનું, ઉદાત્ત નીતિનું અને જીવતા ચારિત્રનું વાતાવરણ ઊભું કરે તો જેમ ગૃહસ્થોને વગર પૈસે અને વગર મહેનતે પોતાનાં બાળકોને તાલીમ આપવાની તક મળે, તેમ ગુરુવર્ગની પણ ચેલાઓની ભૂખ ભાંગે. પરંતુ આજનો દીક્ષાની તરફેણ કરનારો અને તેના ઝઘડા પાછળ બુદ્ધિ અને ધન ખર્ચનારો ગૃહસ્થવર્ગ પણ એમ ચોખું માને છે કે આપણાં બાળકો માટે સાધુ પાસે રહેવું સલામતીવાળું કે લાભદાયક નથી. જો તેઓને ગુરુવર્ગના વાતાવરણમાં વિશાળ અને સાચાં જ્ઞાન દેખાતાં હોય, અકૃત્રિમ નીતિ દેખાતી હોય તો તેઓ બીજાના નહિ તો પોતાના અને વધારે નહિ તો એક એક બાળકને ખાસ કરીને પોતાના માનીતા ગુરુને ચરણે કાં ન ધરે ? આનો ઉત્તર શો છે એ વિચારવામાં આવે તો આજે દીક્ષાની. ઉપાયોગિતા શી છે એનું ભાન થાય. જે વસ્તુ વધારે પ્રમાણમાં અને વધારે વખત સુધી અથવા તો વધારે ઊંડાણથી જગતને ઉપયોગી હોય તે જ ટકી અને જીવિત રહી શકે છે. એટલે આપણે દીક્ષાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy