SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ • જૈન ધર્મ અને દર્શન એટલી ઉદારતા આજના વાતાવરણમાં છે ખરી? પોતાની વાત બાજુએ મૂકો તોય પોતાના શિષ્યો સુધ્ધાંને બીજા જુદા ગચ્છ કે સંઘાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મોકલે એવું આજે વાતાવરણ છે ખરું ? સાધુની વાત જવા દો, પણ એક સાધુના રાખેલ પંડિત પાસે બીજા સાધુના શિષ્યો છૂટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સૂરિના તાર્કિક પંડિતે સાંજને વખતે પુરાતત્ત્વ મંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણા દિવસ થયાં આવવાની ઇચ્છા તો હતી, પણ જરા મહારાજજીનો ભય હતો. એ જ સૂરીશ્વરના બીજા સાહિત્યશાસ્ત્રી પંડિતે મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે હું તમારી પાસે આવ્યો છું એ વાત મહારાજજી જાણવા ન પામે.” કબૂલું છું કે આ મારું વર્ણન સર્વને એકસરખું લાગુ નથી પડતું, પણ આ ઉપરથી હું એટલું જ કહેવા માગું છું કે આજનું આપણું ત્યાગી-વાતાવરણ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશૂન્ય જેવું થઈ ગયું છે. એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તપોમય વાતાવરણ નથી, અને બીજી બાજુ આજે દુનિયામાં તથા આપણા જ દેશમાં બીજી જગ્યાએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણા દીક્ષિતો સામે નથી. એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યા છતાં પણ બાળ અને તરુણદીક્ષા જ નહિ પણ આધેડ અને વૃદ્ધદીક્ષા સુધ્ધાં ઈષ્ટ ફળ કેવી રીતે આપી શકે એનો વિચાર કોઈ કરે છે ખરું? હું ધારું છું કે જો આજના વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાનો વિચાર કરવામાં આવે તો ઝઘડો રહે નહિ. કાં તો દીક્ષા પક્ષપાતીઓને પોતાનું સંકુચિત વાતાવરણ વિશાળ કરવાની ફરજ પડે અને કાં તો દીક્ષાનો આગ્રહ જ છોડવો પડે. જે માતાએ સિકંદર, નેપોલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમીઓ જગતને આપવા હોય તે માતાએ સંયમ કેળવ્યે જ છૂટકો છે, અથવા એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છોડ્યું જ છૂટકો છે. આપણો ગુરુવર્ગ બાળદીક્ષા મારફત જો સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંઈ આપવા જ માગતો હોય તો તેણે પોતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવ્યે જ છૂટકો છે; અને તે માટે તેમને આજનું વાતાવરણ બદલ્યા વિના ચાલી શકે તેમ નથી. એટલે ઝઘડો દીક્ષા આપવા ન આપવાનો નથી, પણ અત્યારના શુદ્ર વાતાવરણને બદલવા ન બદલવાનો છે. મોઢેથી એમ તો કહેવાય જ નહિ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે (જોકે સહુ મનમાં તો જાણે જ છે, એટલે બહારથી દીક્ષા આપવાની વાતો થાય છે. વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે એ પ્રશ્નનો ઉત્તર વાતાવરણમાં છે. જો ત્યાગીઓને રહેવા, વિચારવાનું શીખવાનું કામ કરવા અને આખી દિનચર્યા ગોઠવવાનું વાતાવરણ ઉદાત્ત હોય તો વીસ વર્ષના, દશ વર્ષના અને પાંચ વર્ષના સુધ્ધાંને દીક્ષામાં સ્થાન છે; અને જો વાતાવરણ એદી તથા બીકણ હોય તો તેમાં સાઠ કે એંશી વર્ષનો બુઢ઼ઢો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy