SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮૦ જૈન ધર્મ અને દર્શન ટકાવી તેમજ સજીવ રાખવી હોય તો આપણો ધર્મ એને ઉપયોગી બનાવવાનો છે. એની ઉપયોગિતાની ચાવી જનસમાજ અને લોકની સેવામાં, તેમને માટે ખપી જવામાં અને સતત અંતર્મુખ રહેવામાં છે. જો અંતર્જીવન વિકસિત થાય અને સેવામાર્ગ વિસ્તરે તો કોઈપણ વખતે ન હોય તે કરતાં પણ વધારે આજે દીક્ષાની ઉપયોગિતા છે. આખું વિશ્વ જ સાચી દીક્ષા ઉપર ટકી અને સુખી રહી શકે. આ ચર્ચા માત્ર દોષદર્શન માટે નથી, પણ વસ્તુસ્થિતિ રજૂ કરી આજનું ત્યાગી વાતાવરણ પુનર્વિધાન માગી રહ્યું છે એ દર્શાવવા પૂરતી છે. હવે પુનર્વિધાનનો પ્રશ્ન આવે છે. પણ જો દીક્ષાની સામાન્ય હિમાયત ક૨ના૨ બંને પક્ષકારો, ખાસ કરી ગુરુઓ, આ વસ્તુ સમજી લે તો તેમની વિચારણામાંથી પુનર્વિધાનનું ખોખું ઊભું થશે અને કદાચ તેઓ માગશે તો પુનર્વિધાન પરત્વે બહારથી પણ તેઓને પ્રેરણા મળી આવશે. આપણે જાણીએ છીએ કે જે વસ્તુ મેળવવાની ઉત્કટ ઝંખના હોય છે તે વસ્તુ મળ્યા વિના કદી રહેતી નથી. તેથી પુનર્વિધાન કેવું હોવું જોઈએ એ ભાગ જાણીને જ છોડી દઉં છું. એ એક સ્વતંત્ર ભાષણનો વિષય છે. Jain Education International - - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy