SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ • જૈન ધર્મ અને દર્શન શિક્ષણના વિષયો એ જ એ ગૂંચનું કારણ છે. જો શિક્ષકો સાચા ઋષિ હોય, શિક્ષકના વિષયો જીવનસ્પર્શી હોય અને તેના સ્થાનો પણ મોહક ન હોય તો સહશિક્ષણનો કઠણ દેખાતો કોયડો જૂના આશ્રમોના જમાનાની પેઠે આજે પણ સહેલો લાગે. એ જ ન્યાયે એક વાતાવરણમાં જે દીક્ષા સહેલાઈથી સફળ થઈ શકતી તે જ દીક્ષા આજના તદ્દન વિરોધી વાતાવરણમાં, ભારે પ્રયત્ન છતાં, સફળ બનાવવી લગભગ અશક્ય થઈ ગઈ છે. મનુષ્યનું શરીર, તેનું મન અને એનો વિચાર એ બધું વાતાવરણનું સ્થળ અને સૂક્ષ્મ રૂપ જ છે. આજના ત્યાગીઓના વાતાવરણમાં જઈ આપણે જોઈએ તો આપણને જોવા શું મળે? ફક્ત એક વાર અને તે પણ ત્રીજે પહોરે આહાર લેવાને બદલે, આજે સૂર્યના ઉદયથી અસ્ત સુધીમાં રસનેંદ્રિયને કંટાળો આવે એટલી વાર અને એવી વાનીઓ લેવાતી જોવાય છે. જાણે કેમે કરી વખત જતો જ ન હોય તેમ દિવસે કલાકોના કલાકો સુધી નિદ્રાદેવી સત્કારાતી જોવાય છે. અમુકે તે કર્યું અને અમુકે પેલું કર્યું, મેં આ કર્યું અને પેલું કર્યું. અમુક આવો છે અને પેલો તેવો છે – એ જ આજનો મુખ્ય સ્વાધ્યાય છે. બાર અંગનું સ્થાન અગિયારે લીધું અને અગિયારનું સ્થાન આજના વાતાવરણમાં છાપાંઓએ – ખાસ કરીને ખંડનમંડનનાં અને એકબીજાને ઉતારી પાડનારાં છાપાંઓએ લીધેલું છે. પોસ્ટ, પાર્સલ અને બીજી તેની જરૂરિયાતની ચીજોના ઢગલાઓ તળે બુદ્ધિ, સમય અને ત્યાગ એવાં દબાઈ ગયેલાં દેખાય છે કે તે માથું જ ઊંચકી શકતાં નથી. જિજ્ઞાસાનું વહેણ એકબીજાના વિરોધી વર્ગના દોષોની શોધમાં વહે છે. જગતમાં શું નવું બને છે, શું તેમાંથી આપણે મેળવવા જેવું છે, કયાં બળો આપણે ફેંકી દેવા જેવાં છે, અને કયાં બળો પચાવ્યા સિવાય આજે ત્યાગને જીવવું કઠણ છે, આપણે કયાંથી કયાં આવ્યા છીએ, અને કયાં બેસીને શું કરી રહ્યા છીએ, આજના મહાન પુરુષો અને સંતો કોણ છે, તેમની મહત્તા અને સંતપણાનાં શાં કારણો છે, આજે જે મહાન વિદ્વાનો અને વિચારકો ગણાય છે અને જેને આપણે પોતે પણ તેવા માનીએ છીએ તે શા કારણે – એ બધું જોવા, જાણવાની અને વિચારવાની દિશા તો આજના ત્યાગી વાતાવરણમાં લગભગ બંધ થઈ ગયા જેવી છે. આજનો કોઈ સાધુ દુનિયામાં સૌથી મહાન ગણાતા અને હજારો માઈલથી જેને જોવા, જેની સાથે વાતચીત કરવા, હજારો માણસો લાખો રૂપિયા ખર્ચ કરી આવે છે એવા સાબરમતીના સંત પાસે જઈ શકે એવું વાતાવરણ છે ખરું? મળવાની, ચર્ચા કરવાની અને કાંઈક મેળવવાની અથવા આપવાની વૃત્તિવાળો આજનો કોઈ સાધુ ગાંધીજી, નહેરુ કે પટેલના તંબૂમાં જવાની હિંમત કરે એવું વાતાવરણ છે ખરું? ઊંચામાં ઊંચા ગણાતા પ્રોફેસરોને ત્યાં ઇચ્છા છતાં શીખવા માટે આજનો કોઈ આચાર્ય કે પંન્યાસ જઈ શકશે ખરો ? જીવનની સાધનામાં પુષ્કળ ઊંડાણ કેળવેલ શ્રી અરવિંદ સાથે પોતાની જ ચર્ચામાં રહી બે દિવસ ગાળવા ઈચ્છનાર જૈન સાધુ પાછો આજના જૈન વાતાવરણમાં નિર્ભય રહી શકશે ખરો ? દારૂને પીઠે, વિલાસનાં ભવનોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy