SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ? વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ ૦ ૧૪૩ જોવાનું પ્રાપ્ત થાય છે કે આ વિવાદનો મૂળ મુદ્દો તે શો છે ? જ્યારે સહેજ આજની સ્થિતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ વિવાદનો મૂળ મુદ્દો આપણી નજરે આવ્યા વિના નથી રહેતો. તે મુદ્દો એ છે કે ભગવાનના સમયના બાળદીક્ષાના દાખલાઓ આજે મુકાય છે ખરા, પણ એ બાળદીક્ષા જે વાતાવરણમાં અમોઘ ફળ આપતી તે વાતાવરણ આજે છે કે નહિ, અને નથી તો લાવવાનો પ્રયત્ન થાય છે કે નહિ, એની વાત બાળદીક્ષાના હિમાયતીઓ કરતા જ નથી. ભગવાન બાળકોને, તરુણોને, કન્યાઓને, તરુણીઓને, નવવિવાહિત દંપતીઓને દીક્ષા આપતા, નિઃસંકોચ આપતા; પણ જેમ તેઓ આવી દીક્ષા આપતા તેમ તેઓ પોતાની જ્વાબદારી વધારે સમજતા. એટલે તેમની પાસે અને તેમની આજુબાજુ ચોમેર માત્ર તપનું જ વાતાવરણ રહેતું. એ વાતાવરણમાં માત્ર દેહદમન નહિ, પણ સૂક્ષ્મ ચિંતનો ચાલતાં, અલૌકિક ધ્યાનો ધરાતાં. રાતદિવસના આઠ પહોરમાંથી એક પહોર બાદ કરી, બાકીના સાતે પહોરનો સાધુચર્યાનો કાર્યક્રમ વિચારણા, ધ્યાન અને મનોનિગ્રહી તપમાં જ ગોઠવાયેલો રહેતો. એ વાતાવરણ એટલું બધું સાત્ત્વિકતામાં ઊંડું, જિજ્ઞાસામાં વિશાળ અને તપમાં ગંભીર રહેતું કે તેમાં માર(આસુરી વૃત્તિ)ને પેસતાં ભારે મુશ્કેલી પડતી. ક્ષુદ્ર બાબતોની તકરારો, કશું નવું જાણવાની બેદરકારી, અને પુરુષાર્થ ન કરવાની આત્મહત્યા, તેમજ બીક અને પામરતાની છાયા, જે આજે ત્યાગીજીવનના વાતાવરણમાં છે, તે જો તે વખતે હોત તો તે વખતે પણ એવી દીક્ષાનો વિરોધ જરૂ૨ થાત, અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાઓ વગોવાત અને નિષ્ફળ જાત. દીક્ષાના પક્ષપાતીઓની મુખ્ય નેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ફરજ તો ભગવાનના એ સમયનું વાતાવરણ લાવવાની છે. જો દીક્ષાના પક્ષપાતીઓ એ તપોમય વાતાવરણ લાવવા લેશ પણ મથતા ન હોય, અથવા ત્યાર પછીના જમાનાનું પણ કાંઈક સાત્ત્વિક અભ્યાસમય અને કર્તવ્યશીલ વાતાવરણ અત્યારે ઊભું કરવા મથતા ન હોય, અને માત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તો સમજવું જોઈએ કે તેઓ પોતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાનો પાયો હચમચાવી રહ્યા છે, અને પોતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાઘાત કરી રહ્યા છે. જો તેઓ પોતાની આજુબાજુના વાતાવરણ તરફ અને પોતે જે વાતાવરણમાં રહે છે અને ઊછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જોશે તો તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારાઓ હજારો કાં ન આવે, પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ કરીને બાળકો, તરુણો અને યુવકદંપતીઓને દીક્ષા આપવામાં તો ભારે જોખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં સહેલી બને છે તે જ બીજા અને વિરોધી વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે. આપણે જાણીએ છીએ કે આજે કન્યાઓ અને કુમારોને સાથે શિક્ષણ આપવાનો કોયડો કેટલો મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે ? શિક્ષકો, શિક્ષણસ્થાનો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy