________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ • ૧૩૯ તેમ કરવા માટે દેવની મદદ મેળવવા જેટલી મુશ્કેલી પડે છે. તે ગમે તેટલો નીરોગ અને કમાઉ પણ હોય, છતાં તેને કોઈ કન્યા ન આપે, આપતાં સંકોચાય. વળી એને ધંધોધાપો કરવામાં પણ ખાસ કરીને પ્રતિષ્ઠિત અને તેમાં પણ ખાસ કરીને ધાર્મિક જૈનોમાં જવું અને રહેવું મુશ્કેલ જેવું થઈ જાય છે. દીક્ષા છોડી ગૃહસ્થાશ્રમમાં પ્રામાણિકપણે આવવા ઈચ્છનાર માટે રસ્તો કાંટાવાળો હોવાથી આવા લોકોમાં જેઓ અસાધારણ તેજ અને પ્રતિભાવાળા નથી હોતા તેઓ પોતાની વાસનાઓની તુષ્ટિ માટે અનેક આડા રસ્તા લે છે. કોઈ સાધુવેશમાં જ રહી અનેક જાતની ભૂતાઓ ચલાવે છે અને માનપાન તેમજ ભોજન મેળવે જાય છે; કોઈ વળી એ વેશ છોડી પોતાના ઈષ્ટ પાત્રને લઈ ગમે ત્યાં ગુપચુપ છટકી જાય છે. કોઈ ખુલ્લી રીતે વિધવાલ કરે છે અથવા તો બીજી જ રીતે ક્યાંક લગ્નગાંઠ બાંધે છે. એકંદર રીતે જોતાં દીક્ષા છોડનારની સમાજમાં પ્રતિષ્ઠા ન હોવાથી એવી વ્યક્તિઓની શક્તિ સમાજના કોઈ પણ કામ માટે યોગ્ય રીતે નથી ખર્ચાતી. જો તેવી વ્યક્તિઓ બીજા સમાજમાં દાખલ ન થઈ હોય અને ખૂબ શક્તિસંપન્ન હોય તોય સમાજ તેમનો બુદ્ધિપૂર્વક ફાયદો ઉઠાવી શકતો નથી. બૌદ્ધ સંપ્રદાયમાં એમ છે જ નહિ. એમાં તો માત્ર મોટા રાજાઓ, વૈભવશાળીઓ અને બધા ગૃહસ્થો મોટે ભાગે એક વાર ભિખુ જીવન ગાળીને પણ પાછા દુનિયાદારીમાં પડેલા હોય છે અને તેમનું માનપાન ઊલટું વધેલું હોય છે. તેથી જ તો એ સંપ્રદાયમાં ભિખ્ખપદ છોડી ઘેર આવનાર પોતાના જીવનને માટે અગર તો સમાજને માટે શાપરૂપ નથી નીવડતો; ઊલટું તેની બધી જ શક્તિઓ સમાજના કામમાં આવે છે. દીક્ષાત્યાગ પછીની આ સ્થિતિ આજના વિષય પરત્વે ખાસ ધ્યાનમાં રખાવી જોઈએ.
જોકે વિષય જાણીને જ “વિશ્વમાં દીક્ષાનું સ્થાન એ રાખેલો છે, છતાં આજના પ્રસંગ પ્રમાણે તો એની ચર્ચા પરિમિત જ છે. એટલે જૈન ધર્મમાં દીક્ષાનું સ્થાન એ જ આજની ચર્ચાની મુખ્ય નેમ છે. જૈનદીક્ષાનો મુખ્ય ઉદ્દેશ અથવા તો એની અનિવાર્ય શરત એક જ છે અને તે જીવનશુદ્ધિની. જીવન શુદ્ધ કરવું એટલે જીવન શું છે, તેનો સમાજ અને વિશ્વ સાથે શો સંબંધ છે તે વિચારવું, અને એ વિચાર કર્યા પછી જે જે વાસનાઓ અને મળો તેમજ સંકુચિતતાઓ પોતાને જણાઈ હોય તે બધાંને જીવનમાંથી કાઢી નાખવી અથવા તો એ કાઢી નાખવાનો પ્રયત્ન સેવવો. જૈનદીક્ષા લેનાર સમાજ, લોક કે દેશના કોઈપણ કામને કાં ન કરે? વ્યાવહારિક કે પારમાર્થિક મનાતા કોઈપણ કામને કાં ન કરે ? છતાં એટલી એની શરત અનિવાર્ય રીતે રહેલી જ છે કે તેણે
જીવનશુદ્ધિનું જ મુખ્ય લક્ષ રાખવું અને જીવનશુદ્ધિને હાથમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી. દિક્ષાનો વિચાર કરતી વખતે જો એના આ મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીએ તો આગળની ચર્ચામાં બહુ જ સરળતા થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org