SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે કયાં છીએ? • ૧૩૩ આ વિશે વિચાર કરનાર અને ચાલુ સ્થિતિ નિહાળનાર કોઈપણ એમ નહિ માનતો હોય કે આજની સાધુસંસ્થા જે કરે છે તેમાં કાંઈ જવાબદારીનું તત્ત્વ રહેલું છે. જેટલા સાધુ એટલા જ ગુરુ અને તેટલા જ વાડા. એમની વચ્ચે કોઈ કાર્યસાધક જીવનદાયી સુમેળ નથી. એટલું જ નહિ, પણ ઘણી વાર તો બે આચાર્યો કે બે ગુરુ-શિષ્યોના નિષ્માણ ઝઘડા પાછળ વધારેમાં વધારે સામાજિક બળ ખર્ચાઈ જાય છે અને માત્ર નવા યુગનો જ જૈન નહિ પણ શ્રદ્ધાળુ ગણાતો જુનવાણી જૈન પણ ઊંડે ઊંડે મૂંગે મોઢે પ્રથમ પોતાના માનીતા રહ્યા હોય એવા સાધુ કે ગુરુ પ્રત્યે અશ્રદ્ધા સેવતો હોય છે. પર્વતિથિનો વિવાદ જાણીતો છે. હજી તો એના પૂર્વયુદ્ધનો વિરામ આવ્યો નથી - એ વિરામ કોર્ટ આણે કે અધિષ્ઠાયક દેવ આણે એ અજ્ઞાત છે – ત્યાં તો આવતા વર્ષમાં આવનાર પર્વતિથિના પ્રશ્નને અત્યારથી જ ચોળવામાં આવ્યો છે. ખરી રીતે પર્વતિથિની તાણખેંચ એ શ્વેતાંબર સમાજમાં દાખલ થયેલ પાકિસ્તાન – હિંદુસ્તાનની તાણખેંચ છે. ફેર એટલો જ છે કે પર્વતિથિના વિવાદના બંને પક્ષકારો કાયદે આઝમની મનોદશા સેવે છે. જો આ સ્થિતિ હોય તો એક નહિ હજાર પજુસણ પર્વો આવે કે જાય છતાંય સમાજમાં બુદ્ધિપૂર્વક શો ફેર પડવાનો? એટલે જ્યાં હતા ત્યાં જ રહેવાના. પર્વતિથિના વિવાદનું તો મેં એક જાણીતું ઉદાહરણ માત્ર આપ્યું છે. બીજી એવી ઘણી બાબતો ગણાવી શકાય. સસ્તા અને સોંઘારતના યુગમાં સાધુઓ વાસ્તે ગમે તેટલો ખર્ચ થતો તે સમાજને પાલવતો; ચોમાસામાં એવો ખર્ચ લોકો હોંશથી કરતા. આજે સ્થિતિ સાવ બદલાઈ છે. સમાજનો મોટો ભાગ પોતાનાં બાળબચ્ચાં અને કુટુંબને જોઈતું પોષણ આપી નથી શકતો. આમ છતાં મોટા મોટા પ્રતિષ્ઠિત ગણાતા સાધુઓનો ખર્ચ ચોમાસામાં અને શેષ કાળમાં એકસરખો જ ચાલુ છે. ઘણી વાર વર્તમાન ફુગાવા સાથે એમના ખર્ચનો ફુગાવો દેખાય છે. શું આમાં સમાજ પ્રત્યેની કોઈ જવાબદારીનું તત્ત્વ છે? શું આને લીધે લોકોમાં સાધુસંસ્થા પ્રત્યે અણગમાનાં બીજો નથી વવાતાં? જો આમ છે તો ગમે તેટલાં સુપ આવે કે જાય, તેથી સમાજની ભૂમિકામાં શો ફેર પડવાનો? તીર્થ અને મંદિરનો પ્રશ્ન સામૂહિક છે. જેનો ચોક્કસપણે એમ માને છે કે તેમનાં મંદિરોમાં હોય છે તેવી ચોખ્ખાઈ અન્યત્ર નથી હોતી. પણ શું કોઈ જૈન એમ કહી શકશે કે મંદિરની આસપાસ અને તીર્થભૂમિમાં અગર ત્યાં આવેલ વાસસ્થાનોમાં એ ચોખ્ખાઈનો એક પણ અંશ છે ? મંદિરો અને ઉપાશ્રયમાં જે ચોખ્ખાઈ હોય છે તે કરતાં અનેકગણી ગંદકી તેની આસપાસ હોય છે, એ હકીકત દીવા જેવી છે. અશુચિત્વની ભાવના મૂળે શૌચાભિમાન દૂર કરવા અગર ચોખ્ખાઈનો રાગ નિવારવા માટે યોજાયેલી, પણ તેના સ્થાનમાં જૈનોએ અશુચિનું પોષણ એટલું બધું કર્યું છે કે તે જોઈ કોઈને પણ તેના પ્રત્યે અણગમો કે દ્વેષ આવ્યા વિના રહે નહિ. રાગ નિવારવા જતાં દ્વેષનું તત્ત્વ પોષાયું અને સમાજે આરોગ્ય તેમજ પ્રતિષ્ઠા ગુમાવ્યાં. શું આ પ્રશ્ન . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy