SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ. ૯૯ તેમજ ઐતિહાસિક દૃષ્ટિને આપણે સંતોષી ન શકીએ તો આપણા માટે એટલું પૂરતું છે કે મહાવિદેહ અને તેમાં વિચરતા વિહરમાન તીર્થંકરોનું કવિનું એક રૂપક માની તેના કલ્પનાચિત્રમાંથી ફલિત થતા ભાવોને જ સમજીએ અને પ્રસ્તુત સ્તવનનો અર્થ એ દૃષ્ટિએ તારવીએ. મહાવિદેહ એ બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન શાસ્ત્રોમાં આવતો વિદેહ દેશ જ છે કે બીજો કોઈ જૈનમાન્યતા મુજબનો દૂરવર્તી સ્વતંત્ર પ્રદેશ છે અને તેમાં વિચરતા કહેવાતા કોઈ તીર્થંકર છે કે નહિ એ તપાસી તે વિશે નિર્ણય આપવાનું કામ અત્યારે અપ્રસ્તુત છે. તેમ છતાં પ્રસ્તુત વિવેચન તો એટલા આધારે પણ કરી શકાય તેમ છે કે આધ્યાત્મિક દૃષ્ટિએ દેહ ઉપરની મમતાથી મુક્ત હોવું એ મહાવિદેહ ક્ષેત્ર . અને એવી સ્થિતિમાં જીવન જીવનાર હોય તે હોઈ વિહરમાન જિન. દેવચંદ્રજી મહારાજની દૃષ્ટિમાં આવા મહાવિદેહ અને આવા વિહરમાનની કલ્પના ભલે ન હોય, પણ એમના સ્તવનનો ભાવ પૂરેપૂરો સમજવા માટે રૂઢશ્રદ્ધાળુ અને પરીક્ષક-શ્રદ્ધાળુ બંને માટે ઉ૫૨ સૂચવેલ મહાવિદેહ તેમજ વિહરમાન જિનની આધ્યાત્મિક કલ્પના એકસરખી ઉપયોગી છે, તેમજ નિશ્ચયદૃષ્ટિએ વિચાર કરતાં એ જ કલ્પના છેવટે ધાર્મિક પુરુષને આધ્યાત્મિક જીવન જીવવામાં સહાયક બની શકે તેમ છે. એ પણ સંભવ છે કે પ્રાચીન કાળના ચિંતકોએ મૂળમાં એવી જ કોઈ આધ્યાત્મિક કલ્પના સાધારણ જનતાને ગ્રાહ્ય બને એ દૃષ્ટિએ રૂપકનું સ્થૂલ રૂપ આપ્યું હોય અને સાધારણ જનતા તે જ રૂપને વાસ્તવિક માનતી થઈ ગઈ હોય, અને જતે દિવસે તે રૂપકે કથાસાહિત્યમાં અને બીજા પ્રસંગોમાં વાસ્તવિકતાનાં ઊંડાં મૂળ નાખ્યાં હોય. શ્રદ્ધાળુ કે પરીક્ષક બંને પ્રકારના ધાર્મિક તત્ત્વજ્ઞોને એકસરખી રીતે સમજાય એવો ભાવ પ્રસ્તુત સ્તવનમાંથી તારવવો એ અહીં મુખ્ય ઉદ્દેશ છે. સ્તવનનું સામાન્ય સ્વરૂપ પ્રસ્તુત સ્તવનમાં ચાર પાદની એક એવી સાત કડીઓ છે. સ્તવન પ્રધાનપણે વિનંતિરૂપ હોવાથી એ વાટે મુખ્યપણે કવિનો ભક્તિયોગ યા શ્રદ્ધાતત્ત્વ જ વહેતું દેખાય છે. તેમ છતાં એ ભક્તિ જ્ઞાનયોગથી યા વિવેકજ્ઞાનથી શૂન્ય નથી. એકંદર રીતે આખું સ્તવન જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સુમેળ પૂરો પાડે છે, જેને જૈન પરિભાષામાં સમ્યગ્દર્શન કહેવાય. ભક્તિતત્ત્વ પ્રધાન હોવાથી કવિના ભક્તિપ્રવણ ઉદ્ગારો ભક્તિને જ અનુરૂપ એવા લહેકાદાર ને કોમળવર્ણી છંદમાં પ્રગટ થયા છે. ભક્તિતત્ત્વમાં ભક્ત તેમજ ભક્તિપાત્રનું દ્વૈત હોય તે અનિવાર્ય છે. એટલું જ નહિ, પણ તેમાં ભક્તિપાત્ર પ્રત્યે ભક્ત અતિ નમ્રભાવે – અતિ દીનભાવે, જાણે પોતાની જાતને તદ્દન ગાળી ન દેતો હોય તેવા લાઘવથી ઊભો રહી, પોતાની વીતક કથા અનુતાપયુક્ત વાણીમાં કથે છે. તેથી એ કથનમાં શૌર્ય કે પરાક્રમને વ્યક્ત કરે એવા ઉદ્દીપક શબ્દો અગર છંદને સ્થાન નથી હોતું, પણ એવા આંતરિક અનુતાપવાળા ઉદ્ગારોમાં નમ્રપણું અને દીનપણું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy