SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણે જૈન ફિરકાઓના ૫રસ્પર સંબંધ અને મેળનો વિચાર ૦ ૯૧ વિરોધની ખાઈ દેખાય છે તેથી જરા પણ ઓછી ખાઈ સ્થાનકવાસી તેરાપંથી અને બીજા સ્થાનકવાસીઓ વચ્ચે નથી. દિગંબર અને શ્વેતાંબર વચ્ચે દેખાય છે તેટલું જ અંતર લગભગ પાયચંદ અને તપા એ બંને શ્વેતાંબર ગચ્છો વચ્ચે છે. આ બધું હોવા છતાં પ્રસ્તુત લેખનો આશય તો મુખ્યતઃ ઉક્ત ત્રણ ફિકાઓના સંબંધ વિશે જ વિચાર કરવાનો છે. પહેલાં તો ભેદનું મૂળ તપાસીએ. આચારવિચાર અને પરંપરાની ઘણી બાબતોમાં શ્વેતાંબર–દિગંબર વચ્ચે ભેદ છે, છતાં એમનો મુખ્ય ભેદ નગ્નત્વ અને વસ્ત્રધારણ ઉ૫૨ અવલંબિત છે. બંનેને માન્ય મૂર્તિના સ્વરૂપનો ભેદ લો કે સ્ત્રી દીક્ષા લઈ શકે કે નહિ એ ભેદ લો; પણ એની પાછળ તત્ત્વ તો એક જ છે અને તે નગ્નત્વમાં જ ધર્મ માનવાનું કે વસ્ત્રધારણમાં પણ ધર્મ માનવાનું. દિગંબરોએ નગ્નત્વને ધર્મનું મુખ્ય અંગ માન્યું, એટલે સાધુઓ અને મૂર્તિ બંને ઉપર નગ્નત્વ આરોપાયું. શ્વેતાંબરોએ વસધારણામાં પણ જૈનતત્ત્વનો નાશ ન જોયો, એટલે સાધુઓ અને મૂર્તિ બંને ઉપર વસ્ત્રો લદાયાં. નગ્નત્વનો જ આગ્રહ રખાયો, એટલે સ્ત્રી આપોઆપ શ્રમણદીક્ષાથી મુક્ત થઈ. વસ્ત્રો સ્વીકારાયાં એટલે શ્વેતાંબરોમાં શ્રમણી કાયમ રહી. આમ નગ્નત્વ અને વસ્ત્રધારણના ભેદની આજુબાજુ બીજા ઘણા જ ભેદોનું જંગલ ઊભું થયું. નગ્નત્વ અને વસ્ત્રધારણનો વિરોધ જોકે પાછળથી જન્મ્યો, છતાં એ બેનો ભેદ તો ભગવાન મહાવીર જેટલો જ જૂનો છે, પરંતુ સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચેના ભેદ વિશે તેમ નથી. હિંદુસ્તાનમાં મૂર્તિવિરોધની વિચારણા મહમદ પેગંબર પછી જ, તેમના અનુગામી આરબો ને બીજાઓ દ્વારા, ધીરે ધીરે દાખલ થઈ, પણ જૈન પરંપરામાં મૂર્તિવિરોધ દાખલ થયાને પૂરી પાંચ સદીઓ પણ નથી થઈ. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચે ગમે તેટલા ભેદો હોય, છતાં એ ભેદોનો મુખ્ય આધાર મૂર્તિની માન્યતા અને તેના વિરોધમાં છે. અમુક શાસ્ત્ર માનવું કે નહિ, અમુક તીર્થં હયાત છે કે વિચ્છેદ પામ્યું છે, એ બધા વિચારભેદોની પાછળ મુખ્ય ભેદ તો મૂર્તિની માન્યતા અને અમાન્યતાનો છે. આમ એક બાજુ નગ્નત્વ અને વસ્ત્રધારણનો અને બીજી બાજુ મૂર્તિ માનવી કે નહિ તેનો ભેદ હોવા છતાં, અને તેને લીધે બીજા ઘણા નાનામોટા ભેદો દાખલ થયેલા હોવા છતાં, ત્રણે ફિકાઓમાં અભેદનું તત્ત્વ પણ છે. ડાળો પૂર્વ અને પશ્ચિમમાં કે દક્ષિણ અને ઉત્તરમાં ફેલાય અને એમની વચ્ચે મોટું અંતર પણ દેખાય, છતાં એનાં થડ અને મૂળ તો એક જ હોય છે. એક જ મૂળમાંથી રસ બધે પહોંચે છે, તેનાથી બધી ડાળો કે પાંદડાં પોષાય છે અને જીવિત રહે છે, તેમ એ ત્રણે ફિરકાઓનું પણ છે. એ ત્રણે જુદા અને તદ્દન વિરોધી જેવા આજે થઈ પડ્યા છે કે તેવા દેખાય છે, છતાં એ ત્રણેના અસ્તિત્વ કે જીવનનું તત્ત્વ એક જ છે. તે તત્ત્વ એટલે વીતરાગપણાની ભાવના અને ઉપાસના. એ ભાવના અને ઉપાસના વાટે જ ત્રણે ફિરકાઓમાં જીવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy