SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આપત્તિએ અને જીણોદ્ધારા ૧૧૭ કનક ચાવડા અથવા કનકસેન રાજા સંબંધી આવા અન્ય ઉલ્લેખા પણુ, તપાસ કરતાં, મળી આવવાના સંભવ છે. પણ અહી' કનક ચાવડાની ઐતિહાસિકતા પુરવાર કરવાના કેાઈ ઉદ્દેશ નથી; અહીં તેા કનક ચાવડા કે કનકસેન રાજાના જૈનધમ સાથે સંબંધ હતા અને તેથી એણે કથારેક કચારેક અને કયાંક કયાંક જિનમદિરો ચણાવ્યાં હતાં કે એના ઉદ્ધાર કરાવ્યા હતા એ જ બતાવવાના હેતુ છે. આ બધી વિગતાના આધારે એટલું જરૂર માની શકાય કે કનકસેન ચાવડાના હાથે ભદ્રેશ્વરના જિનમંદિરના ઉદ્ધાર થયા હૈાવા જોઈ એ. કનક ચાવડાના જર્ણોદ્ધાર પછી કેટલાક નાના નાના જીર્ણોદ્ધારા થયાનું ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં (પૃ૦ ૨૩) લખ્યું છે; જ્યારે માંડવીની પ્રતમાં વિમળશાહ સ`ઘ સાથે આ તીથની યાત્રાએ આવ્યા અંગે લખ્યુ છે કે— વળી તે સમે ( એટલે કે જગડૂશા પછી ) વિમળશાહ થયે પાટજીવાડે. તે પણ સંધ લેઈ શ્રી વસઈએ જાત્રાએ આવ્યા હતા સંવત ખાર મધ્યે. તિવાર પછી વસ્તુપાલ-તેજપાલ થયા. '' આ ઉલ્લેખમાં જગડૂશા અને વસ્તુપાલ-તેજપાલની વચ્ચેના સમયમાં વિમળશાહ વસઈ આન્યાનુ નાંધ્યું છે તે ચૌલુકય ગૂર્જરપતિ ભીમદેવ પ્રથમના દંડનાયક વિમળના સમય સાથે બંધ બેસતુ... નથી; કારણ કે દંડનાયક વિમળ વિક્રમની અગિયારમી સદીના ઉતરાર્ધ માં ( વિ॰ સં૰ ૧૦૬૨થી ૧૦૮૯ દરમ્યાન ) થયાનુ નિશ્ચિત છે. ૧૦ આ વિમળશાહે . ડનાયક વિમળથી કેઈ જુદી વ્યક્તિ હાય એમ માનવું ઠીક લાગતુ નથી; કારણ કે એ નામની કોઈ સામાન્ય વ્યક્તિએ સંઘ સાથે આ તીર્થની યાત્રા કરી હેાય તે એ વાત લેાકમુખે કે કોઈ નાંધમાં ભાગ્યે જ સચવાઈ રહી હેાત. અહી' તેા મુખ્ય વાત, કાળગણનાને ધ્યાનમાં ન લઈ એ તા, વિમળશાહે સંઘ સાથે આ તીર્થની યાત્રા કરી હતી એ જ છે. આટલા ઉલ્લેખ સચવાઈ રહ્યો હાય તા, ભિવિષ્યમાં કાઈ સામગ્રી મળી આવે ત્યારે એ અંગે વિશેષ વિચાર થઈ શકે, એ દૃષ્ટિએ આ બાબતની અહી' નાંધ લેવામાં આવી છે. (૫)શ્રીમાલીઓના ઉલ્હાર—આ ઉદ્ધારના સૌથી જૂના ઉલ્લેખ ડૉ. જેમ્સ ખજે સના “રિપાટ આન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ ’” નામે ગ્રંથમાં (પૃ૦ ૨૦૭) આ પ્રમાણે મળે છે : “ એક શિલાલેખ પાછળની ભમતીમાં છે. એની લખાઈ ચાલુ શિલાલેખા કરતાં વધારે છે. એ વિ॰ સ’૦ ૧૧૩૪, વૈશાખ સુદિ ૧૫ના છે. આ શિલાલેખ શ્રીમાળી ગચ્છના કાઈ જૈને મંદિરને કંઈક સહાય આપ્યા સંબંધી તેમ જ સમારકામની નોંધ સંબંધી હાય એમ લાગે છે. ૬ ૧૧ ૧૦, ડૉ. ધીરજલાલ ધનજીભાઈ શાહ : વિમલપ્રબંધ (અધ્યયન સાથે) ”, પૃ૦ ૧૦૨, ૧૧, પૃ. ૨૦૭ : “One in the back corridor, of more than usual length, appears to be dated 'Samvat 1134, Vaisakha, bright fortnight, 15th day · and to be a record of repairs and perhaps of a grant to the temple by a Jaina of the Srimali Gachha," Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy