SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ તામ્રપત્ર અંગે વિચારણા ઉપર આ તીર્થની સ્થાપના વીર નિર્વાણ સંવત ૨૩માં શ્રેષ્ઠી દેવચંદ્ર કરીને એમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાની જે વાત લખી છે, તે એક તામ્રપત્રમાંથી મળેલા એક ઉલલેખને આધારે લખી છે. આ પ્રસંગની વિગતો આ પ્રમાણે છે – શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થને છેલ્લે જીર્ણોદ્ધાર, સોએક વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૩૪માં શરૂ કરવામાં આવ્યો હતો, અને, પાંચેક વર્ષ બાદ, વિ. સં. ૧૯૩૯માં એ પૂરો થતાં, એ જ વર્ષના માહ શુદિ ૧૦ના રોજ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ જીર્ણોદ્ધાર દરમ્યાન દેરાસરના ગભારાની પાછળની ભીંતમાંથી એક નાનું તામ્રપત્ર મળી આવ્યું હતું. એ તામ્રપત્રમાંનું લખાણ કચ્છમાં કેઈથી ઉકેલી શકાયું નહીં તેથી, એમ લાગે છે કે, એ વખતના જૈન વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છના મહાન જ્ઞાની પ્રભાવક પુરુષ અને દેશ-વિદેશમાં જાણીતા આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજ ઉપર મેક્લવામાં આવ્યું હતું; અને, આ બાબતમાં જે કંઈ વાત નોંધાયેલી મળે છે તે ઉપરથી એવું જાણવા મળે છે કે, એમણે એ તામ્રપત્ર એમના ખૂબ સુપરિચિત અને એમના તરફ ઘણે આદરભાવ ધરાવનાર કલકત્તાની ધી એશિયાટિક સોસાયટી ઑફ બંગાલના માનદમંત્રી ડૉ. એ. એફ. રૂડોલ્ફ હોનલ (A. E. Rudolf Hoernale C. I. E.) ઉપર વાંચવા માટે મોકલ્યું હોવું જોઈએ.૧ ૧. આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજને વિ.સં. ૧૯૪૩માં પાલીતાણામાં આચાર્ય પદવી મળી તે દરમ્યાન જૈનધર્મના એક મહાન વિદ્વાન તરીકે એમની નામના દેશ-વિદેશમાં પ્રસરી ગઈ હતી અને ડે, રૂડોફ હનલ સાથે એમને, જ્ઞાનયોગને કારણે, એવો નિકટને અને આત્મીયતાભર્યો સંબંધ થઈ ગયું હતું કે સને ૧૮૯૦ માં (વિ. સં. ૧૯૪૬માં) ડે. હોનલે પોતે સંપાદિત કરેલ ઉપાસકદશાંગ સૂત્ર એમને અર્પણ કર્યું હતું; અને એ અર્પણ માટે સંસ્કૃત ભાષાના આદરની લાગણુથી ઊભરાતા ચાર કે એમણે રચ્યા હતા; એને પહેલો અને ચોથે બ્લેક આ પ્રમાણે છે – दुराग्रहध्वान्तविभेदभाना ! हितोपदेशामृतसिन्धुचित्त!। सन्देहसन्दाहनिरासकारिन् ! जिनेक्तिधर्मस्य धुरन्धराऽसि ॥१॥ कृतज्ञताचिनमिद ग्रन्थसंस्करण कृतिन् ।। यत्नसम्पादितं तुभ्य श्रद्धयात्सृज्यते मया ॥ ४॥ ડે. હેનલના આ ઉદ્ગારો એ વાતની સાક્ષી આપે છે કે તેઓ આચાર્ય મહારાજ તરફ ભક્તિ અને કૃતજ્ઞતાની ઊંડી લાગણી ધરાવતા હતા. વળી, કલકત્તાની એસિયાટિક સોસાયટી ઓફ બેંગાલના “જર્નલ ઓફ ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ ” ના સને ૧૮૮૯ના ૫૭મા વોલ્યુમમાં સંસ્થાની કાર્યવાહીના અહેવાલમાં (પૂ૦૧૩૧) છપાયેલ હકીકત ઉપરથી જાણી શકાય છે કે સોસાયટીના સભ્યોની એક સભામાં ડો. હર્બલે મુનિ શ્રી આત્મારામજી-આનંદ વિજયજીએ તૈયાર કરેલ જૈનધર્મની કાળગણના, તથા એના વિભાગો તથા પેટાવિભાગોની ( ગ છે અને પેટાગોની) સમજુતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy