SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ છદ્ધાર આ તીર્થને સહાય કરી તે પછીનાં ૧૫-૨૦ વર્ષના અરસામાં કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ હોવી જોઈએ કે જેને લીધે વિક્રમની વીસમી સદીના આરંભમાં આ તીર્થની બેહાલી ચિંતા અને દુખ ઊપજે એટલી વધી ગઈ. જીર્ણોદ્ધારની જરૂર એમ લાગે છે કે અંગ્રેજ સત્તાધીશોએ આ તીર્થની જે દેખભાળ કરી અને યતિ શ્રી ખાંતિવિજયજીના પ્રયત્નથી અને મહારાઓશ્રી દેશળજી બાવા બીજાની પ્રેરણા અને સહાયથી જન સંઘે આ તીર્થની સાચવણી માટે જે કામગીરી બજાવી તે જીર્ણોદ્ધાર કહી શકાય એવી મોટી નહીં પણ તાત્કાલિક જરૂરેપૂરતા સમારકામ જેવી હોવી જોઈએ. આ દેરાસરના રંગમંડપમાંના મોટા સંસ્કૃત શિલાલેખમાંના “fkત નીરાહ્ય સમાર૪ના તા” એ શબ્દો પણ આ ભાવનું જ સૂચન કરે છે. એટલે આ તીર્થને લાંબા સમય માટે સુરક્ષિત કરવા માટે એને માટે જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર તે ઊભી જ હતી. અને યતિ શ્રી ખાંતિવિજયજી એ માટે શું કરવું એને માર્ગ પણ શોધતા રહેતા હતા. ઝંખના, નિષ્ઠા અને પ્રયત્નમાં સચ્ચાઈનું આંતરિક બળ હોય છે, તે કુદરત કહો તે કુદરત, પરમેશ્વર કહે તે પરમેશ્વર અથવા ભવિતવ્યતા કહે તે ભવિતવ્યતા, એના તરફથી અજ્ઞાતપણે, છતાં માનવી મારફત જ, સહાય મળી રહે છે, અને તે પણ સમયસર જ. આ તીર્થના જીર્ણોદ્ધારની બાબતમાં પણ આવું જ બન્યું અને છેવટે યતિ શ્રી ખાંતિવિજયજીનાં ઇચ્છા અને પ્રયતન સફળ થયાં. છેલ્લા જીર્ણોદ્ધારનું આવું મોટું કાર્ય કેવી રીતે પાર પડયું એની વિગતો પંડિતવર્ય શ્રી આણંદજીભાઈ એ લખાવેલ આ તીર્થના પરિચયમાં (પૃ૦ ૨૭-૨૮) નાંધવામાં આવી છે, જે આ પ્રમાણે છે – છેલ્લો જીર્ણોદ્ધાર “અચળગચ્છના (અંચળગચ્છને અચળગચ્છ તરીકે પણ ઓળખવામાં આવે છે –) તે વખતના ભારતભરમાં પ્રખ્યાત વૈદ્ય અને અસાધારણ મભો ધરાવનાર ભુજપુરના યતિ મહિમાસાગરજી અને એમના ગુરુભાઈ યતિ શ્રી સુમતિસાગરજી મુંબઈથી ભુજપુર આવ્યાનું જાણી, ખાસ ખેપિયે મેકલી, (યતિ શ્રીખાંતિવિજયજીએ ) તીર્થમાં બોલાવ્યા ને ( કહ્યું કે, આપના જેવા મોટા માણસોને તીર્થના ઉદ્ધારને યશ લેવા જેવો છે. શહેરના આગેવાનો અને ગામના ભુજપુરના શેઠવજપાલ ઉકેડા, પટેલ જાવડ ચાંપચી, નવાવાસના પાસુભાઈ અને આસુભાઈ વાગજી વગેરેને ઉત્તેજિત કર્યા ને બધાને તીર્થોદ્ધાર પાછળ લગાડ્યા.” પંડિત શ્રી આણંદજીભાઈની આ નોંધ ઉપરથી પણ લાગે છે કે વિ. સં. ૧૯૨૦ ના અરસામાં આ તીર્થના ઉદ્ધાર માટે જે કામ થયું હતું તે તાત્કાલિક અને કામચલાઉ સમારકામ જેવું હતું, અને તેથી તીર્થને સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવાની જરૂરતો ઊભી જ હતી. વળી, આ માટે તપગચ્છના યતિ શ્રી ખાંતિવિજયજી, કેઈ પણ જાતના ગચ્છવાદની ખેંચતાણમાં અટવાયા વગર, અંચળગચ્છના યતિ શ્રી મહિમાસાગરજી તથા સુમતિસાગરજીને સામેથી ખેપિયા દ્વારા આમંત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy