SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભોયર-વસઈ મહાતી મેકલીને ભદ્રેશ્વરમાં તેડાવે અને તીર્થને ઉદ્ધાર કરવાની વિનંતિ કરે, એ હકીકત ઉપરથી પણ સમજી શકાય છે કે એમને આત્મા કેટલે હળુકી હતો, અને ગમે તે ઉપાયે તીર્થનો ઉદ્ધાર કરવાની વાત એમને પ્રેમ માં કેવી વસી ગઈ હતી. લાગે છે કે તેઓ સાચા ધર્માત્મા પુરુષ હતા. આ જીર્ણોદ્ધારની ધર્મકથા જેવી પ્રેરક વાતને આગળ ચલાવતાં પંડિત શ્રી આણંદજીભાઈ પિતાની નોંધમાં કહે છે કે– “એટલામાં લેખમાં (રંગમંડપમાંનાં મોટા સંસ્કૃત શિલાલેખમાં તથા તેની નીચેના ગુજરાતી શિલાલેખમાં પણ) જેમને ઐતિહાસિક ઉલ્લેખ છે, તે માંડવીના ખરતરગર છીય પીતાંબર શાંતિદાસવાળા મેણસીભાઈનાં વિધવા ગંગાસ્વરૂપ મીડીબાઈને જીવલેણું માંદગી લાગુ પડી. બધા વૈદ્યોએ હાથ ખંખેરી નાખ્યા ને મીડીબાઈ ભુજપુરમાં યતિ શ્રી સુમતિસાગરજી રાજવૈદ્યની સારવાર નીચે આવ્યાં ને ચમત્કારી રીતે સારાં થઈ ગયાં. બદલામાં મોટી રકમ આપવાની બાઈએ એફર કરી. પરોપકારી યતિએ તે નકારી, ફરી ફરી નકારી, એટલે ભાગ્યશાળી મીઠા બહેને ધર્મકામ ચીંધવા નમ્ર અરજ કરી. રાયવેદ્ય યતિ શ્રી સુમતિસાગરના કાને, ભદ્રેસરથી બોલતા હોય અને અહીં સંભળાતું હોય તેમ, યતિ ખંતિવિજયજીને ગેબી અવાજ કાને પડયો : “ મહારાજ ! ભદ્રેસર તીર્થનું કંઈક કરશે.” રાજ્યવઘ યતિએ બાઈને આ તીર્થની બિસ્માર હાલત, એના જીર્ણોદ્ધારની તાત્કાલિક અગત્ય ને એનું મહાપુણ્ય સમજાવ્યાં. મીઠીબહેને, પળની ઢીલ કર્યા વિના, તીર્થના જીર્ણોદ્ધાર માટે, પચાસ હજાર કેરીની નાદર રકમ કાઢી આપી. ” ૧૪ (જુઓ, ચિત્ર નં. ૧૮, ૨૦) આ લખાણ ઉપરથી જોઈ શકાય છે કે અંચળગચ્છના યતિ શ્રી મહિમાસાગરજી તથા યતિ શ્રી સુમતિસાગરજી પણ યતિ શ્રી ખાંતિવિજયજીની જેમ, ગચ્છવાદના આગ્રહથી મુક્ત અને ૧૪. આ જીર્ણોદ્ધારને ઉલેખ રંગમંડપમાંના સંસ્કૃત તેમ જ ગુજરાતી એ બને શિલાલેખમાં કરવામાં આવ્યો છે, તે આ પ્રમાણે છે – સંરકૃત શિલાલેખમાં લખ્યું છે કે : “ઇતર પતિપુરાતનકારત્વેન સાશ્વતમતી વનીf. विलोक्य श्रीमांडवीबंदरनिवासि-श्रीओसवंशावतंस-श्री वृध (ख) शाखीय सां ( सा ) शांतिदासश्रेष्ठिसुत सा पीतांबर तं। जीवण सं । लधाभिधानां मध्ये सां (सा) जीवण तद्भार्या वीरबाई तत्सुत सा तेजसी तद्भार्या सेानबाई तत्सुत सा मेोणसी तद्भार्या मीठीबाइ नाम्न्या श्राविकया जिनधर्मप्रभाविकया स्वभ: संकेतमनुसरंस्था कारो ५०००० पंचाशत् सहस्रव्ययेन सांप्रतं संवत् १९३६ वर्षे श्रीखेगारजी महाराजराज्ये एतस्य श्रीमहावीरजिन प्र(प्रा)सादस्य जीर्णोद्धारमकारीति साम्प्रतकालीने।[5]यमितिहासः। .......... શ્રીમુનપુરવાતણું ( ) Y (મુ) સુમતી(તિ સાર વિને(વિનય)ષાનગી વરેલા (ર) તા થી સુ (સુ) મં મા પ્રમાણે છે : “શ્રી માંડવીના રેવાશી શા પીતામ્બર શાતીદાસ હાં શા માણશી તેજશી ભારજા મીઠીબાઈએ આ મુલ દેરાશર ન કરાવી છરણોધાર કરાવ્ય શાં ૧૯૩૯ના મહા સુદ ૧૦ વાર શુકરે શ્રી ભુજપુરના રેવાશી મુ સુમતીસાગર વીનસાગરજીના ઊપદેશથી.” આ બને શિલાલેખોને ભાવ સહેલાઈની સમજી શકાય એ અને એકસરખે છે. ગુજરાતી શિલાલેખમાં પ્રતિષ્ઠાના વર્ષની સાથે પ્રતિષ્ઠાની તિથિ પણ આપવામાં આવી છે, ગુજરાતી શિલાલેખ આ પ્રમાણે છે : ૮ શ્રી માંડવીમાં કેવા પી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy