SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધી ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધી એ બન્ને અહિંસાના મહાન પૂજારી થયા. જગતને એમણે અહિંસાની ભાવના આપી એ ભાવનાને સાકાર કરતું જીવન કેવું હોય તેનો પરિચય કરાવ્યો. ભગવાન મહાવીરનો ભાર વ્યક્તિનો પૂર્ણરૂપે સુધાર થાય પછી જ તેણે અન્યના જીવનમાં સુધારો કરવા પ્રયત્ન કરવો; આ બાબત પર હતો જ્યારે ગાંધીજીનો ભાર વ્યક્તિના જીવનની પળો, વ્યક્તિના સુધારમાં વીતતી હોય કે સમાજના જીવનની સુધારણામાં વીતતી હોય તે એક જ પ્રક્રિયા છે એ ઉપર હતો. વ્યક્તિ પોતાના જીવનનો ઉદ્ધાર કરવા સાથે જ સમાજનો ઉદ્ધાર કરી શકે છે અને નહિ કે પોતાનો સંપૂર્ણ ઉદ્ધાર થયા પછી, આવી ભાવના ગાંધીજીમાં હતી, તેથી ઊલટું ભગવાન મહાવીરમાં દેખાય છે. તેમણે તો પોતાના સુધાર માટે સંસારનો ત્યાગ કર્યો, સમાજથી, સમાજ જીવનથી અળગા રહ્યા અને જ્યારે પોતે સંપૂર્ણ નિર્દોષ થયા ત્યારે જ સમાજ વચ્ચે આવીને ઉપદેશ આપવો શરૂ કર્યો. સાધનાકાળમાં મૌન રહેવાની ભગવાનની પ્રતિજ્ઞા હતી, પણ ગાંધીજીએ તો પોતાના સમગ્ર જીવનને સાધનાકાળ જ માન્યો છે. સિદ્ધિકાળ જેવી કોઈ કલ્પના તેમનામાં નથી. જીવનની છેલ્લી ઘડી સુધી તેમને પોતાનામાં અહિંસાની, બ્રહ્મચર્યની અપૂર્ણતા જ દેખાય છે. અને તેમાં આગળ વધવા લોકલાજ છોડીને પણ પ્રયોગો કરતા અચકાયા નથી. ભગવાન મહાવીર અને ગાંધીજીના સમયની દૃષ્ટિએ નેતૃત્વના વિકાસમાં ભેદ છે જ. ગાંધીજી ભારતીય સંતપરંપરાના ધાર્મિક નેતા તો ખરા જ, તે ઉપરાંત રાજનૈતિક નેતા પણ ખરા. ભગવાન મહાવીર માત્ર ધાર્મિક નેતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy