SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધી ૦ ૭૧ ભગવાન મહાવીરે ઘોર તપશ્ચર્યા, એકાંતવાસ, ધ્યાન તેમ જ સમાજથી દૂર રહીને વ્યક્તિગત સાધનાના માર્ગો અપનાવ્યા છે; લોકસંપર્ક તો માત્ર ભિક્ષા પૂરતો હતો અને તે પણ બાર વર્ષના સાધનાકાળમાં સરવાળે માત્ર એક વર્ષ જેટલો. જ્યારે સતત લોકસંપર્ક એ તો ગાંધીજીની સાધનાનું એક અંગ હતું. સંસારથી દૂર થઈ, શુદ્ધ થઈ પુનઃસંસાર વચ્ચે આવી સંસારશુદ્ધિ કરવી એ ભગવાનનો માર્ગ. પરંતુ સંસારમાં જ રહીને સંસારશુદ્ધિ એ ગાંધીમાર્ગ. આ બન્ને વચ્ચેનો ભેદ અઢી હજાર વર્ષ પૂર્વે થનાર ભગવાન મહાવીર અને આધુનિક નેતા ગાંધીનો છે તે આપણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ. આ સમજ્યા વિના આપણે ગાંધી કે મહાવીરને ન્યાય આપી શકીએ નહિ. ભગવાન રાજકુળમાં જન્મ્યા પણ એ કુળની ભોગ સામગ્રીથી અળગા થઈને વિચર્યા. તેમણે પોતાના કોઈ ન માન્યા અને તેથી રાગદ્વેષથી પર થયા. ગાંધીજી પણ રાજકુળમાં નહિ તો છેવટે રાજાના દીવાનના કુળમાં તો જમ્યા જ અને સંસારમાં સહુ કોઈ પોતાના જ છે એમ માની સૌ વચ્ચે રહીને સંપત્તિથી અળગા રહ્યા અને છતાં સંપત્તિના સ્વામી બન્યા; દાસ નહીં. ભગવાન મહાવીરે સંપત્તિનો રાગ ત્યજ્યો તે છોડીને, ગાંધીજીએ એ રાગ ત્યજ્યો, તે મારી નથી એમ વ્યવહારથી બતાવીને. અનેક ટ્રસ્ટોના ટ્રસ્ટી ગાંધીજી હતા અને તેનો વહીવટ કરતાં છતાં તે સંપત્તિ મારી છે એમ નહીં પણ સૌની સરખી છે તેમ માનીને. ત્યારે ભગવાને સંપત્તિ તો શું અંગ ઢાંકવાનાં વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો. બન્ને વીતરાગ થવાના પ્રયત્નમાં હતા. ભગવાનને વિશે અનુયાયીઓ તેઓ વિતરાગ થયા તેમ માને છે. ગાંધીજી તો સ્વયં પણ તેવો દાવો કરતા નથી. પરિગ્રહ ત્યાગ એટલે મૂછનો ત્યાગ–આ સૂત્ર બન્નેને માન્ય છતાં, ભગવાને આંતર-બાહ્ય પરિગ્રહના ત્યાગમાં કૃતાર્થતા જોઈ ત્યારે ગાંધીજીએ માત્ર આંતરિક ત્યાગમાં. બ્રહ્મચર્યની સાધના બન્નેને એકસરખી ઇષ્ટ હતી. અને તે અહિંસાની સાધનાની અંગભૂત હતી તે પણ બન્નેને સરખી રીતે માન્ય છે, છતાં બાહ્ય આચરણમાં બન્નેમાં મૌલિક ભેદ છે. ભગવાન મહાવીરે પોતાનાં પત્નીપુત્રનો ત્યાગ કર્યો, આથી ઊલટું ગાંધીજીએ કસ્તુરબાનો કે પરિવારનો ત્યાગ કર્યો નહિ પણ પરિવારમંડળ મોટું બનાવી તેમાંના એક કસ્તુરબા–તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy