SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મની ભૂમિકા • ૬૯ પુદ્ગલાસ્તિકાયરૂપે એક અન્ય પણ અજીવ દ્રવ્ય મનાયું. આ બધાને અવકાશ આપે એવું જે દ્રવ્ય તે આકાશ. પણ જડરૂપ અજીવ દ્રવ્ય માનવું જરૂરી હતું. આમ આ પ્રમાણે જૈન દર્શનમાં જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ પાંચ અસ્તિકાયો માનવામાં આવ્યા છે. પણ જીવાદ્રિ દ્રવ્યોની વિવિધ અવસ્થાઓની કલ્પના કાળ વિના થઈ શકે નહિ. આથી એક સ્વતંત્ર કાલદ્રવ્ય પણ અનિવાર્ય હતું. આ રીતે પાંચ અસ્તિકાયને સ્થાને છ દ્રવ્યો પણ થયાં. જ્યારે કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં નથી આવતું, ત્યારે તેને જીવ અને અજીવ દ્રવ્યોના પર્યાયરૂપે જ માનીને કામ ચલાવવામાં આવે છે. હવે સાત તત્ત્વ અને નવતત્ત્વ વિશે થોડું સ્પષ્ટીકરણ કરી લઈએ. જૈનદર્શનમાં તત્ત્વ વિચાર બે રીતે કરવામાં આવે છે. એક પ્રકાર વિશે આપણે ઉપર જોયું. બીજો પ્રકાર મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય એ રીતે તત્ત્વોની ગણતરી કરવાનો છે. આમાં જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોને ગણવાનો એક પ્રકાર અને તેમાં પુણ્ય અને પાપ ઉમેરીને કુલ નવતત્ત્વોને ગણવાનો બીજો પ્રકાર છે. વસ્તુતઃ જીવ અને અજીવના વિસ્તારરૂપે જ સાત અને નવતત્ત્વો ગણાવ્યાં છે, કાફ્ટ મોક્ષમાર્ગના વર્ણનમાં એવું પૃથક્કરણ ઉપયોગી થઈ પડે છે. જીવ અને અજીવ વિશેનું સ્પષ્ટીકરણ તો ઉપર કર્યું જ છે. અંશતઃ અજીવ-કર્મ-સંસ્કાર બંધન-જીવથી પૃથફ થવું એ નિર્જરા છે. જ્યારે સર્વાશે પૃથફ થવું એ મોક્ષ છે. કર્મ જે કારણો એ જીવ સાથે બંધમાં આવે છે તે કારણો આ આશ્રવ છે અને એનો નિરોધ તે સંવર છે. જીવ અને અજીવ–કમનું એક જેવા થઈ જવું તે બંધ છે. સાર એ છે કે જીવમાં રાગ-દ્વેષ, પ્રમાદ આદિ જ્યાં સુધી છે ત્યાં સુધી બંધનાં કારણો મોજૂદ હોઈ સંસારવૃદ્ધિ થયા કરે છે. એ કારણોનો નિરોધ કરવામાં આવે તો સંસારી મટી સિદ્ધ કે નિર્વાણ અવસ્થાને જીવ પામે છે. નિરોધની પ્રક્રિયા સંવર છે એટલે કે જીવની મુક્ત થવાની સાધના-વિરતિ આદિ એ સંવર છે. અને કેવળ વિરતિ આદિથી સંતુષ્ટ ન થતાં જીવ કર્મથી છૂટવા તપસ્યાદિ આકરાં અનુષ્ઠાનો પણ કરે છે. તેથી નિર્જરા-આંશિક છુટકારો થાય છે અને અંતે મોક્ષ પામે છે*. જૈન પર્યુષણાંક * શ્રી જગમોહનદાસ કોરા સ્મારક પુસ્તકમાળાના તાજેતરમાં પ્રગટ થયેલા ચોથા પુસ્તક પંડિત શ્રી સુખલાલજીના “જૈનધર્મનો પ્રાણ”ની પ્રસ્તાવનામાંથી સાભાર ઉદ્ધત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy