SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. જ્ઞાનોપાસના જ્ઞાનપંચમી કેમ ઊજવીએ? જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ. દિવાળી આવી અને ચાલી ગઈ. એ તહેવારને ગમે તેટલું ધાર્મિક રૂપ આપીએ તો પણ એ તો વ્યવહારપ્રધાન રહેવાનો જ. એ વખતે જેટલો સ્વાભાવિક ઉત્સાહ સરવૈયું કાઢવામાં હોય છે, જેટલી તત્પરતા દીવા સળગાવી અને રંગોળી પૂરી ઘરને જાજ્વલ્યમાન અને સુશોભિત કરવામાં હોય છે તેટલો ઉત્સાહ અને તેટલી તત્પરતા આપણા મુનિરાજો આપણને વારંવાર કહ્યા કરે તો પણ ઉપવાસ કરવામાં કે સંવરકરણી કરવામાં નથી આવતાં એ સૌ કોઈએ આ દિવાળીએ જોઈ લીધું હશે. મુનિરાજોએ આપણને ઘણું ઘણું કહ્યાં છતાં આપણે દિવાળી પ્રસંગે આપણા આધ્યાત્મિક જીવનમાં ડોકિયું કર્યું નહિ, અથવા કહો કે કરવાનો વખત મેળવી શક્યા નહીં. એ તહેવાર તો વ્યવહારપ્રધાન થઈ ગયો છે તેથી તેમાં આપણે આધ્યાત્મિક જીવનનું નિરીક્ષણ કરવાનો વખત ન બચાવી શકીએ એ સ્વાભાવિક છે પરંતુ આપણે તેથી ગભરાઈ જવાની કશી જ જરૂર નથી. તહેવારોના ક્રમ પર વિચાર કરીએ તો આપણને આપણા પૂર્વજોની આ રચના પર જરૂર માન ઊપજે. તહેવારોનો ક્રમ સપ્રયોજન છે. એકને બદલે બીજો કરીએ તો ન ચાલે. દિવાળીના પુનિત પ્રસંગે આપણે જે ન કરી શક્યા, એની પૂર્તિ તેના પછી તુરત જ આવતા જ્ઞાનપંચમીના તહેવારમાં કરી શકાય છે. જૈન ધર્મ તો સ્પષ્ટ કહે છે કે “પઢમં ના, તો રયા' જ્ઞાન હશે તો જ સત્યમાર્ગમાં પ્રવૃત્તિ થઈ શકશે. સૌ કોઈ ચાહે કે સત્યમાર્ગ પર ચાલવું, પરંતુ જે માર્ગ પર ચાલવાનો વિચાર કરે તે માર્ગ સત્ય છે કે મિથ્યા તેનો નિશ્ચય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy