SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ ગ્રંથોના વિચ્છેદ વિશેની વિચારણા - ૩૯ આચારાંગને સંપૂર્ણરૂપે અને શેષ અંગ અને પૂર્વને આંશિકરૂપે ધારણ કરનાર લોહાચાર્ય થયા. એમનો સમય વીરનિર્વાણ પછી ૬૮૩ વર્ષ છે. અર્થાત્ શ્રુતજ્ઞાનની ક્રમે ક્રમે હાનિ થઈને વીરનિર્વાણ ૬૮૩માં તે અંગોમાંથી આચારાંગ જ સંપૂર્ણરૂપે આચાર્યોને જ્ઞાત હતું. રાતે લોહાચાર્ય પછી તો અંગ અને પૂર્વનો એક દેશ જ આચાર્યોને જ્ઞાત હતો. અહીં એ ધ્યાન રાખવું આવશ્યક છે કે વીરસેન પણ અંગ ગ્રંથો કે પૂર્વગ્રંથોનો સર્વથા વિચ્છેદ થઈ ગયો એવી વાત કહેતા નથી. વળી અંગેતર ગ્રંથોના કે શ્રતના લોપની તો આમાં વાત જ કરી નથી એ પણ મહત્ત્વનો મુદ્દો ધ્યાન બહાર રહેવો ન જોઈએ. ધવલાકારને મતે મૂલતંત્રના કર્તા મહાવીર, અર્થાત્ અંગના સિદ્ધાંતના કર્તા મહાવીર, તેના આધારે ગૌતમસ્વામીએ જે શબ્દરચના કરી, ગ્રંથરચના કરી તે અનુતંત્રના કર્તા ગૌતમ અને એ ગ્રંથરચનાને પણ આધાર બનાવીને ભૂતબલિ-પુષ્પદંતે જે ખંડાગમની રચના કરી તે ઉપતંત્ર છે. એટલે આપણે કહી શકીએ કે જેમ ભૂતબલિ પુષ્પદંતના ઉપતંત્ર એ અંગથી પૃથફ છે અને તેના આધારે બનેલા છે. તેમ અંગને આધારે બનેલ અન્ય સાહિત્યની સંજ્ઞા ધવલાકારને મતે ઉપતંત્ર છે. તત્ત્વાર્થભાષાકારની પરિભાષામાં કહેવું હોય તો કહી શકાય કે ઉપતંત્ર એટલે ઉપાંગ. સાર એ છે કે જેમ ભૂતબલિ પુષ્પદંતે ઉપતંત્રની રચના કરી તેમ અન્ય આચાર્યોએ પણ ઉપતંત્રોની–ઉપાંગોની રચના કરી, અને એવા ઉપતંત્ર કે ઉપાંગના વિચ્છેદનું સમર્થન ધવલાકાર પણ કરતા નથી. એ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પણ મૂળ પ્રશ્ન તો એ છે કે અંગના વિચ્છેદની માન્યતા કે પરંપરા ક્યારે શરૂ થઈ. એ સ્પષ્ટ કરવું જોઈએ કે તત્ત્વાર્થ ટીકાકાર દિગંબર આચાર્ય પૂજયપાદ, અકલંક કે વિદ્યાનંદ આદિ કોઈ આચાર્યે શ્રતના લોપની વાત કહી નથી. પણ સર્વ પ્રથમ આવો ઉલ્લેખ ધવલાકાર વીરસેન આચાર્યે જ કર્યો છે અને તેમણે ધવલાની સમાપ્તિ ઈ. સ. ૮૧૬માં કરી છે. એટલે માની શકાય કે ઈસ્વીના નવમી શતાબ્દીના પ્રારંભમાં અંગગ્રંથના લોપની માન્યતા પ્રચલિત હતી. એ પહેલાં એ માન્યતા કયારે શરૂ થઈ એ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. શ્રુતનો પરિચય આપતી વખતે પૂજ્યપાદ કે અકલંક શ્રુતના વિચ્છેદની વાત નથી કહેતા એ ઉપરથી અનુમાન કરવું હોય તો કરી શકાય કે ૧. ધવલા ભા. ૧ પ્રસ્તા. પૃ. ૨૪ મતાંતરે આ ૬૮૩ વર્ષ ભૂતબલિ સુધીના છે. એ જ પૃ. ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy