SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘર્ષ વિ. સમન્વય • ૨૪૫ જનસામાન્ય ઉપર અધિક હતું અને છે તેથી જનસામાન્ય આચરણમાં તો ધર્મશાસ્ત્રની વાત જ માની અને દાર્શનિકોની ઉપેક્ષા કરી. ધર્મશાસ્ત્રીઓએ સમયે સમયે દાર્શનિકોની વાતને ગૌરવ તો આખું પણ વ્યવહારક્ષેત્રે એ વિચારનો પ્રવેશ થવા ન દીધો. જે લોકો વ્યવહારાતીત બની જાય, સંન્યાસી બની જાય તેમને માટે દર્શન અને વિચાર અને વિચારાનુસારી આચાર ભલે હોય પણ ગૃહસ્થજીવનમાં તો દાર્શનિક કરતાં ધર્મશસ્ત્રો જ વધારે માન્ય રહે. એ પરિસ્થિતિમાં પરિવર્તન કરવાનું સાહસ ભારતમાં બહુ જ ઓછા લોકો કરી શક્યા છે અને જેમણે કહ્યું પણ છે તેઓ સફળ નથી થયા. મહાવીરે જાતિવાદને દાર્શનિક આધારે અમાન્ય કર્યો, પણ તેમનો ગૃહસ્થ અનુયાયી એમના એ દર્શનને કદી પણ અનુસર્યા હોય એનું પ્રમાણ ઉપલબ્ધ નથી. ગૃહસ્થ મટી સાધુ બને એટલે દાર્શનિક વિચારાનુસાર આચારની પુષ્ટિ કરી શકે છે, પણ એમાં પણ એવી પુષ્ટિ કરવા જતાં સર્વસંબંધો તોડી દેવાની તૈયારી હોય તો જ બને એટલે કે સાધકે સામાજિક નહિ પણ વ્યક્તિનિષ્ઠ બની જવું પડે. બુદ્ધે પણ પોતાના દર્શનનો પ્રચાર કર્યો અને તદનુકૂળ આચાર ઘડવા પ્રયત્ન કર્યો પણ એ આચાર ભિક્ષુસંઘ સુધી વિસ્તરી શક્યો, અને છેવટે એ ભિક્ષુસંઘ પણ ભારતમાંથી લુપ્ત થયો અને લોકો બુદ્ધના નામને પણ ભૂલી ગયા. ભારતવર્ષમાં દર્શન અને આચારની સ્થિતિ સામાન્ય રીતે આવી જ રહી છે. ભારતવર્ષમાં અનેક સંતો આવ્યા અને ગયા પણ છેવટે અભેદની વાત એ વાત જ રહી. સંતોના અભેદની વાતને માનનારા ભક્તો પણ એક વર્ગરૂપે બની ગયા અને એ રીતે ભારતવર્ષમાં ઉત્તરોત્તર વર્ગો વધી ગયા, ઘટ્યા નહિ. ભારતવર્ષમાં, પ્રથમ કહ્યું તેમ, વિચારમાં સમન્વયને સ્થાન મળ્યું જ છે. એટલે પ્રશ્ન છે આચરણના સમન્વયનો. આવો સમન્વય તો જ શક્ય બને જો આપણે જીવનના સામાજિક, રાજનૈતિક, ધાર્મિક એવા વિભાગો ન કરીએ પણ જીવનને એક અને અખંડ માનીએ. દેહરાનું અને દુકાનનું જીવન જુદું નથી, પણ જે ભાવના દેહરામાં ભગવાનની સામે બેસીને ભાવીએ છીએ તે ભાવનાને મૂર્ત રૂપ આપવાનું સ્થળ દુકાન છે–જો એમ માનતા થઈએ તો વિચારગત સમન્વય આચારમાં આવે, પણ જો એમ માનીએ કે ધર્મકરણી તો દેહરામાં થાય અને દુકાનમાં તો બધું એમ જ ચાલે, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy