SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮. સંઘર્ષ વિ. સમન્વય બુદ્ધ અને મહાવીરે જીવનને દુઃખમય કહ્યું છે, પણ તે કયા જીવનને લક્ષીને એ વિચારવાનું છે. આજની પરિભાષામાં કહેવું હોય તો કહી શકાય કે જે જીવનમાં સંઘર્ષ છે તે જીવન દુઃખમય છે. સંઘર્ષનો અર્થ છે જ્યાં વ્યક્તિઓના સ્વાર્થો પરસ્પર ટક્કર લેતા હોય છે. એકબીજાના સ્વાર્થો મળી ન જતા હોય પણ એકબીજાના સ્વાર્થો એકબીજાને આડે આવતા હોય ત્યાં સંઘર્ષ કહેવાય. જ્યાં સંઘર્ષ નથી પણ સમન્વય છે ત્યાં જીવનને દુઃખમય માનવાનું કશું જ કારણ નથી. ત્યારે જીવનમાં જો સંઘર્ષ ટળીને સમન્વયને સ્થાન મળે તો જીવન સુખમય થાય. વિચારના ક્ષેત્રે પ્રથમ સમન્વય આવે તો વ્યવહારક્ષેત્રમાં પણ આવી શકે એમ વિચારી બુદ્ધ વિભજ્યવાદ અને મધ્યમ માર્ગને અપનાવ્યા ત્યારે મહાવીરે અનેકાંતવાદ અથવા તો સ્યાદ્વાદને સ્થાન આપ્યું. પણ વિચારક્ષેત્રમાં બીજા વાદોની જેમ એ પણ વાદો બની ગયા, અને જે પરિણામ મહાવીર કે બુદ્ધ ધાર્યું હતું તે આવ્યું નહિ. એનું કારણ એ છે કે ભારતીય પ્રકૃતિ એવી છે કે તે વિચારમાં તો ઘણી આગળ વધી જાય છે પણ આચારમાં પ્રગતિ થતી નથી. ઉપનિષદે એક બ્રહ્માત્મક જગતની વાત ' કરી; પરિણામે મહાન સમન્વયરૂપ વેદાન્તના વિચારનો ભારતમાં જેટલો વિકાસ થયો એટલો બીજા કોઈ દર્શનનો થયો નહિ. છતાં ભારતીય જનજીવનમાં વેદાન્તની શી અસર થઈ એનો વિચાર કરીએ તો જણાશે કે એની સ્થિતિ તો પોથીમાંનાં રીંગણાં જેવી જ થઈ છે. જીવનવ્યવહારમાં તો ભેદનું જ પોષણ થયું છે અને વિચારમાં અભેદનું. આ અસંગતિનો વિકાસ હિન્દુ ધર્મમાંથી કરવાનો જે પ્રયત્ન ગાંધીજીએ કર્યો તે ભગીરથથી ઓછો ન હતો અને છતાં પણ આજે એ અસ્પૃશ્યતાનું પાપ છે જ. " વિચાર અને આચાર એક જ દિશામાં હોવા જોઈએ એવો આગ્રહ ભારતીય દાર્શનિકોનો હતો જ, પણ દાર્શનિકો કરતાં ધર્મશાસ્ત્રીઓનું વર્ચસ્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy