SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ૭ માથુરી સાધારણ જનતાની છે. પરિણામ એ આવ્યું છે કે વ્યાપારમાં ડાહ્યા અને કુશળ ગણાતા માણસો પણ ધર્મની બાબત જે સાદી સમજથી સમજાઈ જાય તેવી હોય છે તેમાં પણ માથું મારવાનો પ્રયત્ન કરતા નથી. સંવત્સરી પ્રતિક્રમણ તો કરવું જોઈએ. પણ કોઈને એ પ્રશ્ન નથી થતો કે તે શા માટે કરવું જોઈએ ? પ્રતિક્રમણ એટલે શું ? તે કોણ કરે અને કેવી રીતે કરે ? વર્ષના પ્રારંભમાં જ્યારે નવા પંચાંગ નીકળે છે ત્યારથી આ વર્ષે સંવત્સરીનું પ્રતિક્રમણ ક્યારે કરવું એ ચર્ચામાં સાધુઓ ચડી ગયા અને ઝઘડા કર્યા. પણ કોઈને એ ખ્યાલ ન આવ્યો કે આ સંવત્સરી પ્રતિક્રમણના અધિકારનો વિચાર કરીએ. સંવત્સરી પ્રતિક્રમણ વખતે પોતાના ઉપાશ્રયમાં અગર પોતાની આમ્નાય પ્રમાણે પ્રતિક્રમણ કરનાર વધારે ઉપસ્થિત થાય તે માટે કઈ તિથિ વધારે ઠીક છે તેની ચર્ચા ખૂબ થઈ ખરેખરા વ્રતધારી શ્રાવકો કેટલા છે અને જે નથી તેને વ્રતધારી કેમ બનાવવા એ મૂળ પ્રશ્નની ચર્ચા આખા વર્ષમાં ક્યાંય થઈ હોય એમ જાણવામાં નથી તે શું સાંવત્સરિક પ્રતિક્રમણ એ મહત્ત્વનું છે કે ઉપાશ્રયમાં તે પ્રતિક્રમણ કરનારની સંખ્યા મહત્ત્વની છે કે પછી વ્રતધારી શ્રાવકની સંખ્યા પણ કાંઈ મહત્ત્વ રાખે છે ? શ્રાવક અને સાધુ સમુદાયના આચરણ ઉપરથી જો અંદાજ કરવાનો હોય તો કહી શકાય મહત્ત્વ તો ગુરુની અહંતાનું છે. અને તેમ ન હોત તો અત્યારે વ્યાપારી કોમ ગણાતી જૈન કોમ જે અધાર્મિક આચરણ ઉત્તરોત્તર વૃદ્ધિગત થઈ છે તે જોવા ન મળત. જૈન કોમ આદર્શ વ્યાપારી કોમ હિન્દુસ્તાનમાં આગળ આવી હોત અને લોકોની અસહાયતાનો આટલો દુરુપયોગ ન થાત. પ્રતિક્રમણ કરવું જ હોય તો આપણી કોમે પોતાના આ પાપનું જ કરવું જોઈએ. પણ આપણે ખરી રીતે પ્રતિક્રમણ એનું જ કરવામાં માનીએ છીએ જેનો સંબંધ આપણા પ્રતિદિનના વ્યવહારમાં ન હોય અને જે વસ્તુનું પ્રતિક્રમણ ખરેખર કરવું આવશ્યક છે તેને તે પ્રતિક્રમણમાં ક્યાંય સ્થાન આપવા માગતા જ નથી, સાંવત્સરિક પ્રતિક્રમણ જેવા મહાન કર્મ વિશે આપણી આટલી બધી બેદ૨કારી જ્યાં સુધી સમાજના આગેવાનોને અસહ્ય ન થઈ ત્યાં સુધી સુધારાને અવકાશ જ નથી પણ એ વસ્તુસ્થિતિ અસહ્ય ક્યારે થાય ? જ્યારે આપણામાં ખરી ધાર્મિક વૃત્તિ જાગે. એ વૃત્તિ અત્યારે જે વર્તન આપણું છે તેમાં ક્યાંય અવકાશ પામતી નથી તો પછી આ સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે બીજું કાંઈ ન કરતાં માત્ર એટલું જ કહીને કેમ સંતોષ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy