SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ માનવતા પાછી લાવો ૦ ૨૩૧ માનીએ જેથી આપણામાં અત્યારે જે ધાર્મિક વૃત્તિનો સદંતર લોપ થઈ રહ્યો . છે તે પુનરુજ્જીવિત થાય. એ ધાર્મિક વૃત્તિના પુનરુજ્જીવન માટે શ્રાવક અને સાધુસમુદાય કટિબદ્ધ થવાની પ્રતિજ્ઞા આ સંવત્સરી વખતે લે તો પણ પ્રતિક્રમણના જેવી પવિત્ર ઘડીમાં કાંઈક શુભ કર્યાનો આત્મસંતોષ અનુભવીશું પણ એ વૃત્તિ એટલે માત્ર ઉપાશ્રય કે દેરાસરમાં જવાની પ્રતિજ્ઞા નહિ કે માત્ર કંદમૂળ ત્યાગવાની પ્રતિજ્ઞા પણ નહિ પરંતુ આપણા આખા જીવનવ્યવહારમાંથી માનવતાનો સદંતર જે લોપ થઈ ગયો છે તેવી પુનઃ પ્રતિષ્ઠા જ છે. હું એક જ વાત કહું. મને યાદ છે કે જ્યારે પહેલા દુષ્કાળ પડતા અગર લોકોને અનાજ અને પશુઓને ઘાસચારાની હાડમારી પડતી ત્યારે મહાજનોનું હૃદય દયાર્દ્ર થતું અને કાંઈક કરી છૂટવાની વૃત્તિ એ કે એક સાધનસંપન્ન માણસને થતી. એવા વર્ગની જાહેરખબર આવશ્યક ગણાતી. લોકો પોતાના ભાઈબંધ, પાડોશીનું, ગામજનોનું કે પશુજનોનું દુઃખ જોવાને બિલકુલ ટેવાયલા ન હતા અને જરાક એવા દુ:ખની ભીતિ થતાં પોતાથી બનતું બધું કરી છૂટતા. આ વસ્તુસ્થિતિ અધિકાંશ ગામડાંમાં અને નાનાં શહેરોમાં ગઈ લડાઈ ચાલતી હતી ત્યાં સુધી મેં નજરોનજર જોઈ છે. પણ ગઈ લડાઈમાં અને ત્યાર પછીનાં વર્ષોમાં માનસ એટલું બધું બદલાઈ ગયું છે કે જાણે આપણને બીજાનું દુઃખ જોવાને એક કસાઈની જેમ ટેવાઈ ગયા છીએ. જે લોકો માનવહિતનું કાર્ય કરતા હતા તે જ લોકો કોન્ટ્રોલ અને એવા બીજાં અનેક કારણોને લઈને પોતાના ભાઈબંધનું કે પાડોશીનું લોહી ચૂસવા તૈયાર છે. અને દુનિયામાં ધનસંગ્રહથી વધી જાય તેવું કોઈ ઉચ્ચ કાર્ય સંભવી શકે છે એવું માનવા તૈયાર નથી. આપણી માનવતાનો આ ડ્રાસ જે થઈ રહ્યો છે તે તરફ જો આપણે સત્ત્વર ધ્યાન નહિ દઈએ તો રહ્યોસહ્યો આર્યતાનો અંશ આપણામાંથી લુપ્ત થઈ જશે. એ આર્યના ગઈ તો પછી આપણા ઊંચાં ઊંચાં મંદિરો કે ઉપાશ્રયો સત્ત્વશૂન્ય ખંડેરો થઈ જશે. એટલું જ નહિ પણ તે પણ માત્ર ધન કમાવાના સાધનભૂત જો હશે તો જ ટકી શકશે. આર્યતાનો, માનવતાનો આ હ્રાસ એ સંવત્સરી પ્રસંગે આપણને ન ખટકે તો સમજવું જોઈએ કે સંવત્સરીમાં પણ હવે કોઈ પ્રાણ નથી, એ નિઃસત્ત્વ છે, નિરર્થક છે. જૈન પર્યુષણાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy