SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫. માનવતા પાછી લાવો આ વર્ષની સંવત્સરીમાં વળી પાછી તિથિચર્ચા ગરમાગરમ થઈ. સંવત્સરી એ આત્મસાધનાનું સરવૈયું લેવાનું પર્વ છે. પણ ખરી વાત એવી છે કે સમાજમાં અથવા વ્યક્તિમાં જ્યારે ખરી સાધનાનો અભાવ હોય છે ત્યારે અહિંસાધનાનું જોર વધી જાય છે અને તે જ આત્મસાધનારૂપે પ્રકટ થાય છે. મનુષ્યના સામાજિક વ્યવહારની પરીક્ષા જેમ લગ્ન જેવા વ્યાવહારિક પ્રસંગે તેના વર્તન ઉપરથી કરી શકાય છે તેમ તેના ધાર્મિક જીવનની પરીક્ષા ધાર્મિક તહેવારોના પ્રસંગે થઈ જાય છે. સમાજમાં ડાહ્યાડમરા થઈને ફરતા માણસો પણ જ્યારે કોઈને ત્યાં લગ્ન જેવો પ્રસંગ હોય છે ત્યારે પોતાની વૈરવૃત્તિને દબાવવાને બદલે પદકુ કાઢીને કોઈના લગ્ન જેવા સામાજિક પ્રસંગમાં પોતે પણ કાંઈક છે તેની પ્રતીતિ કરાવવા તત્પર થઈ જાય છે. અને જ્ઞાતિજનોમાં આગેવાન બની જાય છે. એ જ મનોવૃત્તિ ધાર્મિક પર્વોને પ્રસંગે પણ દેખાય છે. સાધારણ સમાજના દૈનંદિન વ્યવહારમાંથી ધાર્મિકતાનો લોપ થયો છે. અને તેને કારણે ધાર્મિક વ્યવહારમાં રત ગણાતા સાધુઓ આખું વર્ષ શું કરે છે તેની કોઈ પરવા કરતું નથી. પણ પર્વને પ્રસંગે તે બધાનું ધ્યાન સહેજે પોતાના તરફ દોરાય તેવા લડાઈ-ઝઘડાના પ્રસંગો જો ઊભા કરવામાં ન આવે તો તેમની મહત્તાનું ભાન સાધારણ લોકોને કેવી રીતે થાય ? ધાર્મિક કલહોના મૂળમાં આ અહંભાવ જ કાર્ય કરી રહ્યો છે. સાધારણ જનતાએ ધર્મ કરવાનું અને ધર્મ વિશે વિચાર કરીને નિર્ણય કરવાનું કામ પોતાના ઉપર રાખ્યું જ નથી. એ માથાકૂટ કોણ કરે? આખી જિંદગી તો કમાઈ લેવું જ જોઈએ. અને તેમાં જેટલા પ્રકારે પાપ થતું હોય તે બધું કરી લેવું જોઈએ. બચવાનો માત્ર એક જ ઉપાય છે અને તે એ કે કોઈ પણ ગુરુ જે કહે છે તે રીતે કરી લેવું. સમજવાની જરૂર જ નહિ. આપણા ગુરુઓ કાંઈ ઓછા ભણેલા છે કે આપણે તેમાં ડાહ્યા થઈએ ? આ મનોવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy