SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪૦ માથુરી વસ્તુતઃ કોઈ અસંયતી હોય તો તેને દાન કરવામાં પાપ થાય કે પુણ્ય ? અને ગૃહસ્થલિંગ છતાં તે વસ્તુતઃ સંયમી હોય અને આપણે તેને ન આપ્યું તો તે ઉચિત કર્યું કે અનુચિત ? સંયમ એ આધ્યાત્મિક વસ્તુ છે. તેનો બાહ્ય વેશ સાથે બહુ જ ઓછો સંબંધ છે. એટલે વેશને આધારે કોઈના સંયમનો નિર્ણય કરી જ શકાતો નથી. તો શું જ્યાં સુધી સંશય હોય ત્યાં સુધી દાનની પ્રવૃત્તિથી વિરત થવું ? આપણો જો એવો આગ્રહ હોય કે સંયતીને આપવાથી પુણ્ય જ થાય છે અને અસંયતીને આપવાથી પાપ જ થાય છે તો આપણે આપતા પહેલાં એ વસ્તુ નક્કી કરવી જોઈએ કે આ સંયતી છે કે અસંયતી ? પણ આપણે છીએ છદ્મસ્થ. તો શું કદી સાચો નિર્ણય કરી શકીશું ? અને શું હમેશા સંશય નહિ રહે કે આ મારું દાન ખોટે ઠેકાણે તો નથી ગયું ? એટલે વસ્તુસ્થિતિ એ ઉભી થવી જોઈએ કે દાન દેવું જ નહીં. જો આમ બને તો સંયમમાર્ગ કેટલા દિવસ ટકે ? આનો સીધો અને સરલ રસ્તો તો એ જ છે કે દાનનું ફળ મુખ્યત્વે દેનારની ભાવના ઉપર છે, દેનારના અધ્યવસાય ઉપર છે. લેનારની યોગ્યતા અયોગ્યતા ઉપર નહિ. આ સિદ્ધાન્તની વાત થઈ. એ સિદ્ધાન્તને સામે રાખીને શાસ્ત્રના વચનોનો અર્થ ઘટાવીએ અને મુખ્ય-ગૌણભાવ વિચારીએ તો તો કાંઈક માર્ગ મળી આવે. અન્યથા તો અદાન એ જ શ્રેષ્ઠ માર્ગ છે અને જો તેમ બને તો ભિક્ષુઓ માટે એ પણ શ્રેષ્ઠ માર્ગ છે કે તેમણે પણ ભિક્ષાજીવી ન થતાં કાંઈક આપકમાઈ કરવી. સંયતીને આપવું એનો અર્થ એ કરવો કે જૈન સંયતીને આપવું અને જૈન-સંયતીમાં પણ અમુક પંથના લોકો જ સાચા સંયતી છે માટે તેમને આપવું, આ વ્યવહારની વ્યવસ્થા છે. પણ એમાં તો માત્ર બાહ્યવેશની જ મુખ્યતા થાય. પણ આવી બાહ્ય આચારની વ્યવસ્થાને પણ જો સનાતન સત્ય માનવામાં આવે અને એને આધારે ધર્મધર્મનો નિર્ણય કરવામાં આવે તો જેમ આધ્યાત્મિક ધર્મનું પોષણ નથી, તેમ, આણે તો જૈન ધર્મનું લિંગ ધારણ કર્યું નથી માટે તેમાં સંયમ ન હોઈ શકે એમ માની જો દાનથી વિત થવામાં આવે તો પણ આધ્યાત્મિક ધર્મની પુષ્ટિ થતી નથી, પણ જો જૈન લિંગને બિલકુલ મહત્ત્વ દેવામાં ન આવે તો પણ જૈન ધર્મનો જે વિશેષ પ્રચાર આવશ્યક હતો તે સંભવિત નહોતો. એટલે વ્યવહારમાં જૈન લિંગ એ સંયમનું ચિહ્ન માનીને દાન આપવું એવી વ્યવસ્થા કર્યા વગર છૂટકો ન હતો. અને અર્જુન લિંગધારીને વ્યવહારમાં અસંયમી માની તેને મદદ કરવામાં ઉપેક્ષા કરવી એ પણ વ્યાવહારિક વ્યવસ્થા જ છે. એવી વ્યવસ્થા ઉપરથી આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy