SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંત પાપ અને પુણ્ય ૦ ૨૧૩ દૃષ્ટિ છે. અને આધારે એમ કહી શકાય કે વીતરાગઅવસ્થા ન આવે ત્યાં સુધી જીવનની એવી એક પણ ક્ષણ ન સંભવે કે જેમાં તે માત્ર પાપ જ કરે કે માત્ર પુણ્ય જ કરે કે માત્ર નિર્જરા કરે. એટલે એમ કહી શકાય કે અવીતરાગી જીવનની પ્રત્યેક ક્ષણ એવી હોય છે જેમાં તે પાપ અને પુણ્ય બન્નેનું ચયન (સંગ્રહ) કરે છે, પણ જો પાપચયનનું બાહુલ્ય હોય તો કહેવાય કે તેનું તે કાર્ય પાપ છે અને જો પુણ્યનું બાહુલ્ય હોય તો તેનું તે કાર્ય પુણ્ય છે. સકષાયજીવન એ એક અને અખંડ છે. તેમાં એવા અંશો નથી કલ્પી શકાતા કે અમુક અંશે તે સર્વથા ધાર્મિક જ બની જાય અને અમુક અંશે તે અધાર્મિક જ બને. જયાં સુધી વ્યક્તિ વીતરાગ નથી ત્યાં સુધી તેના જીવનની પ્રત્યેક ક્ષણ મિશ્રિત છે. વીતરાગઅવસ્થામાં તે કેવલ ધાર્મિક બને છે, અથવા તો કેવલ આધ્યાત્મિક બને છે. ત્યાર પહેલાની ક્ષણોમાં તે કષાયનું પૂતળું હોઈ તેની એવી કોઈ પણ ક્ષણ સંભવે નહિ જેમાં તેના કષાયનો સૂક્ષ્મ પણ અંશ કામ ન કરતો હોય. એવી સ્થિતિમાં માત્ર નિર્જરા કે માત્ર પુણ્ય કમાવાની વાત એ શાસ્ત્રમાં લખી હોય તો પણ તેના વિશેષ અર્થનું અનુસંધાન, પૂર્વાપર સિદ્ધાન્તો સાથે સુમેળ કરીને જ કરવું જોઈએ. અન્યથા જૈનોના સમગ્ર કર્મશાસ્ત્રને આધારે સ્થપાયેલી ગુણસ્થાનોની વ્યવસ્થા જે તર્કસંગત પણ છે તેને પણ છોડવી જોઈએ. દયા, દાનના તેરાપંથ વિશેના સમગ્ર વિચારોમાં જો કોઈ પણ દોષ હોય તો તે એક માત્ર એ છે કે સકષાયજીવનમાં પણ એવી ક્ષણો તે કલ્પ છે જે માત્ર પાપજનક કે માત્ર પુણ્યજનક કે માત્ર નિર્જરાજનક છે. આગમના અમુક પાઠો તેના સમર્થનમાં મળી રહે છે તે સાચું, પરંતુ આગમના પ્રત્યેક વાકયનો અર્થ કરવામાં માત્ર શબ્દાર્થ જ લેવામાં આવે તો તો ઘણો જ અનર્થ થવા સંભવ છે. સમગ્ર ભાવે જૈનદષ્ટિ શી છે એના પ્રકાશમાં જ આગમવાક્યનો અર્થ કરવો જરૂરી છે. જૈન ધર્મ એ આધ્યાત્મિક ધર્મ છે, પણ તેને સમાજ વચ્ચે અને તે પણ વિરોધી વચ્ચે જીવવું પડ્યું છે. એ સ્થિતિમાં આગમમાં એવાં ઘણાં વિધાનો મળી આવે જેનો તેની આધ્યાત્મિકતા સાથે કશો જ મેળ ન બેસે. એક તરફ જો આપણે ગૃહસ્થલિંગી કે અન્યલિંગીને સિદ્ધ થવાની યોગ્યતા માનીએ અને બીજી તરફ અસંયતીને દાન દેવામાં પાપ માનીએ તો વિચારવું એ પ્રાપ્ત થાય છે કે આપણે સંયતી કોને માનવો? જેણે લિંગ ધારણ કર્યું હોય તેને? અહીં જ વ્યવહાર આવીને ઊભો રહે છે કે જેણે જૈન લિંગ ધારણ કર્યું હોય તેને સંયતી માનવો. જૈન લિંગ ધારણ કર્યા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy