SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧. એકાંત પાપ અને પુણ્ય જીવન એ એવી સંકુલ વસ્તુ છે કે તેમાં લૌકિક અને અધ્યાત્મિક જીવનની સીમા નક્કી કરવી એ અત્યંત કઠણ છે. જીવનમાં સામાજિકતા એટલી બધી વ્યાપ્ત છે કે ક્યાં જઈને આપણું લૌકિક જીવન સમાપ્ત થાય છે અને ક્યાંથી આધ્યાત્મિક અથવા અલૌકિક જીવનનો પ્રારંભ થાય છે એ કહેવું કઠણ છે. જેને આપણે આધ્યાત્મિક જીવન કહીએ છીએ એમાં લૌકિક જીવનને અથવા સામાજિક જીવનનો કયારે સર્વથા લોપ થાય છે એ સૂક્ષ્મતાથી વિચારીશું તો જણાશે કે જીવનની અંતિમ ઘડી સુધી જેને આપણે તીર્થકર જેવા પરમ આધ્યાત્મિક પુરુષ ગણીએ છીએ તેઓ પણ સામાજિક જીવનનો ત્યાગ કરી શકયા નથી, તો બીજા આધ્યાત્મિક પુરુષોની તો વાત જ શું કરવી ? આવી સ્થિતિમાં લૌકિક ધર્મ અને આધ્યાત્મિક ધર્મ એવા પરસ્પરથી અત્યંત વ્યાવૃત્ત ધર્મની કલ્પના કરવી અને તેના આધારે પાપપુણ્યની વ્યવસ્થા કરવી કે ધર્માધર્મની વ્યવસ્થા કરવી એ બહુ જ સૂક્ષ્મવિચારણા માગે છે. કોઈ પણ અનુષ્ઠાનો સહસા લૌકિક ગણી તેમાં પાપ અને બીજા કોઈ અનુષ્ઠાનો અલૌકિક કે આધ્યાત્મિક ગણી તેમાં ધર્મની કલ્પના કરવી એ મનસ્વી બની જાય છે. મનુષ્ય એ સંસ્કારોનું પૂતળું છે એમ કહીએ તો ખોટું નથી. કોઈ પણ વખતે તે તેના પૂર્વસંસ્કારોથી સર્વથા મુક્ત થઈ શકતો હોય તો તે વીતરાગાવસ્થા છે, પણ ત્યાર પહેલાની સૂક્ષ્મસંપરાય સુધીની અવસ્થાઓમાં તે તેના પૂર્વ સંસ્કારોના પરિણામરૂપ તેના અધ્યવસાયો હોય છે. એટલે તેના તેવા અધ્યવસાયો માત્ર પુણ્યજનક કે માત્ર પાપજનક હોય અથવા માત્ર નિર્જરાજનક હોય એ સંભવે નહીં. સંભવે છે માત્ર પ્રાધાન્યનો. એવા અધ્યવસાયો સંભવે છે જેમાં પાપનું પ્રાધાન્ય હોય અને એવા પણ અધ્યાવસાયો હોય છે જેમાં પુણ્યનું પ્રાધાન્ય હોય છે. અને એવા પણ હોય છે જેમાં નિર્જરાનું પ્રાધાન્ય હોય. આ જૈન દર્શનના કર્મશાસ્ત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy