SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકારવાદ અને દયા-દાનનું પાપ ૦ ૨૧૧ ચમકતું થશે. અણુવ્રતના પ્રવર્તક તરીકે આચાર્યશ્રીને ગણવામાં આવે છે અને તેમ કરી ભગવાન મહાવીરના એ ઉપદેશને ગૌણ રૂપ આપવામાં આવે છે એ ભલે બને; પણ એ આખી પ્રવૃત્તિમાં માત્ર નિષેધ-નિષેધ અને નિષેધ સિવાય વિધિરૂપ કશું જ નહિ હોય તો એ મહત્ત્વપૂર્ણ આંદોલન સફળ કદી જ થઈ શકશે નહિ. પરિગ્રહવાદ ઉપર રચાયેલા સમાજમાં દાનનો નિષેધ કરી અણુવ્રતોનો પ્રચાર કરવામાં કઈ જાતનું ઔચિત્ય છે તે સમજાય તેમ નથી. જૈન સમાજની અત્યારની આવશ્યકતા પરિગ્રહ જેટલો છે તેને ઓછો કરવાની છે અને જો દયાદાનને પાપ ગણવામાં આવશે તો એ પરિગ્રહ ઓછો કેમ થશે ? બીજા સમાજોમાં અનેક દાનવીરો મળી આવે છે, ત્યારે એવા દાનવીરોની પરંપરા તેરાપંથમાં કેમ ન જામી ? સામાજિક સંસ્થાઓની પરંપરા કેમ ન જામી ? અને હવે જ છૂટી છવાઈ સંસ્થાઓ સ્થપાય છે છતાં કોઈ પણ સંસ્થામાં ગરીબોને મદદને નામે કાંઈ પણ થતું કેમ સંભળાતું નથી ? જ્યારે જૈનોની બીજી કૉન્ફરંસ લોકહિત કે સમાજહિતનાં અનેક કાર્યો કરે છે ત્યારે તેરાપંથી મહાસભા એવાં કાર્યોમાં કોઈ પણ જાતનો રસ કેમ ધરાવતી નથી ? આ બધાની પાછળ દાનદયાના પાપના સિદ્ધાંત જ કામ કરી રહ્યા છે. એમ લાગ્યા વિના રહેતું નથી. આપણી આસપાસ આપણી મદદ મેળવવાને આતુર લોકો ઊભા હોય છતાં તેમની એ તાત્કાલિક આવશ્યકતાની પૂર્તિ કર્યા વિના ઉચ્ચ આદર્શો કે સિદ્ધાન્તોની વાત કરવી એ કેવળ હાસ્યાસ્પદ છે, એટલું જ નહિ પણ, જે લોકો પરિગ્રહ વધારીને બેઠા છે તેમના મનમાં દયાદાનના પાપની વાત દૃઢમૂળ થવાથી લોકકલ્યાણમાં તેમના પૈસાનો ઉપયોગ કદીએ થવાની શક્યતા જ રહેતી નથી. તેમને પરિગ્રહનું પાપ એટલું ખટકતું, જેટલું અસંયતીને દાન દેવાનું પાપ ખટકે છે, આ પ્રકારના માનસના ઘડતરમાં મુનિશ્રી નગરાજજીના આવા લેખો સહાયભૂત થવાનો પૂરો સંભવ છે. એટલે જ ચેતવણી આપવી આવશ્યક જણાઈ છે. Jain Education International પ્રબુદ્ધ જીવન ૧૫-૩-૧૯૫૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy