SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ • માથુરી જોઈએ. આમાં જ સિદ્ધાંતની પૂર્ણતા છે. આપણે જાણવું એટલું જ છે કે તેરાપંથી સમાજે તેનો આવિર્ભાવ થયો ત્યારથી આવી હાકલો તો બદલી જ છે પણ તેનું પરિણામ શું આવ્યું? ભારતવર્ષના એક ખૂણામાં અત્યાર સુધી ગોંધાઈ રહ્યા અને બહારની દુનિયાએ કશું જ તેમના વિશે જાણ્યું નહિ. હવે તેરાપંથીઓએ જે પરિગ્રહ વધાર્યો છે અને તેમની હાકલની અવગણના અત્યાર સુધી કરી છે તેને ધોવા માટે થોડું ખર્ચ કરી અખબાર કાઢી એ જ નવી હાકલોના પ્રચાર માટે નીકળવું પડ્યું છે. પણ તેઓ એ ભૂલી જાય છે કે આવી હાકલોથી કશું જ વળતું નથી. સમગ્ર સમાજમાં પરિવર્તન ન થાય ત્યાં સુધી આવી હાકલોનો કશો જ અર્થ નથી. અને એવું પરિવર્તન માત્ર હાકલોથી નથી થતું. એના માટે પ્રયત્નની પણ આવશ્યકતા રહે છે. એવો પ્રયત્ન, ધાર્મિક વિશ્વાસ કાયમ રાખીને આચાર્ય તુલસીથી માંડીને તેમના અદના સેવક સુધીમાં કેટલા કરવા તૈયાર છે? જેમને પોતે જ આપેલું ભાષણ પોતે જ લખીને પ્રેસમાં આપતાં પણ પાપ નડતું હોય તેવા લોકો જયારે નવા સમાજની રચનાની વાતો કરે છે અને એવા નવા સમાજને નામે દયાદાનના નિષેધનું સમર્થન કરે છે ત્યારે માત્ર હાસ્યાપદ જ બને છે એમ કહેવું જોઈએ. પરિગ્રહ એ વસ્તુતઃ પાપ છે અને દાન દેવાથી ગરીબીની અનવસ્થા વધે છે એવા એવા સિદ્ધાન્તો વાંચનારને તુરત ગમી જાય છે, પણ દાન એ જો ગરીબીની અનવસ્થા જ ઊભી કરતું હોય તો પછી આજના સાધુઓને તે શા માટે આપવું ? આનો બહુ જ સરલ ઉત્તર મુનિશ્રી પાસે છે કે સંયમીને આપવાથી તો મોક્ષનો માર્ગ મોકળો થાય છે અને અસંયમીને આપવાથી સંસાર વધે છે. પરિણામ એ આવ્યું કે તેરાપંથી સાધુઓ–જેઓ ખરા સંયમી છે તેમને જ દાન આપવું. તેથી મોક્ષ સુલભ બને છે અને બીજા અસંયમીને આપવાથી પાપ થતું હોવાથી આપવું જ નહિ–આ વ્યવસ્થા એક ખૂણામાં બેસીએ ત્યાં સુધી તો બહુ જ સુંદર રીતે ચાલી શકે છે, પણ જગદુદ્ધાર કરવા નીકળીએ ત્યારે તૂટી પડે છે અને પોતાનો જ કુહાડો પોતાને લાગે છે. એટલે આંખ ઊઘડી જાય છે અને સર્વસંપ્રદાયોની એકતાના સિદ્ધાન્તો શોધી કાઢવા પડે છે. આ બધો તેરાપંથનો વિકાસ જ છે. આપણે આશા રાખીએ કે એ વિકાસ ચાલુ રહે અને આજે જેમને પોતાનું ભાષણ લખી છપાવવામાં પણ ભય લાગે છે તેઓ તે ભય દૂર કરીને સમાજની નવી રચનામાં સક્રિય ફાળો આપતા થઈ જશે. એ સક્રિય ફાળો માત્ર ઉપદેશ રૂપમાં જ નહિ હોય, પણ એથી વધુ આગળ વધી ગયેલો હશે ત્યારે તેરાપંથીનું નામ આ વિશ્વમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy