SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકારવાદ અને દયા-દાનનું પાપ ૦ ૨૦૯ ઊભો છે. એટલે જ ઉપનિષદ્રના ઋષિઓએ કહ્યું કે તેને ત્યજીન મુન્નીની ! આ સંસારમાં તમારું બધું જ છે એમ નહિ પણ તમારું કશું જ નથી એ તેમના ઉપદેશનો મૂળ મંત્ર છે. અને એમાંથી જ દાનનો પ્રવાહ વહે છે. બાહ્ય વસ્તુ તો શું પણ મન-બુદ્ધિ-ઇન્દ્રિય શરીર એ પણ તમારાં નથી તો ભલા માણસ આ બીજી ભૌતિક વસ્તુમાં શા માટે આસક્ત થવું? આસક્તિ-મમત્વ-તૃષ્ણા એ જ પાપ છે તો એ બધાને છોડીને નિર્મમ-અનાસક્ત-નિષ્પરિગ્રહી બનો આવો ઉપદેશ દિનરાત અપાય છે અને લગભગ બધા ધર્મો અનાદિ કાળથી આપતા આવ્યા છે. તેમાં વળી આ અધિકારવાદને દાખલ કરીને મુનિશ્રી પોતાના ધર્મને જ ભૂલી જવાનો પ્રયત્ન કરતા હોય તેમ જણાય છે. દયાદાનનો નિષેધ કરવો હોય તો આધ્યાત્મિક દૃષ્ટિનો આશ્રય લઈ કરી શકાય છે અને તે એ કે ભાઈ, મારું તો કશું જ નથી, હું નકામું મારું માની રહ્યો હતો, તમારે ઉપયોગી હોય તો લઈ જાઓ. આમ અહંકાર ટાળવાનો પ્રયત્ન સાધક કરી શકે છે. પણ અધિકારવાદનો આશ્રય લેવા જતાં તો દેનાર દે તે પહેલા જ લેનાર કહેશે કે આ બધું લૂંટીને ભેગું કર્યું છે તે હવે કાઢી નાખે છે નહિ? અન્યથા અમે લૂંટી જ લઈશું. અધિકારવાદીઓ કહેશે કે ભૌતિક બધી વસ્તુઓ ઉપર સર્વ મનુષ્યોનો સમાન હક્ક છે તો આધ્યાત્મિક કહેશે કે સંસારની કોઈ પણ વસ્તુ ઉપર કોઈને અધિકાર નથી. સાધનાનું પ્રથમ પગથિયું અધિકાર માનવાથી નહિ પણ અધિકારને છોડવાથી ચડાય છે. આ મૂળગત ભેદ છે ધ્યાનમાં ન રાખીએ તો સમાજવાદી ભૌતિક વિચાર દ્વારા અને જૈન કે બીજા કોઈ પણ ધર્મની આધ્યાત્મિક સંયમપ્રધાન-ત્યાગપ્રધાન વિચારધારામાં ગોટાળો જ ઊભો થઈ જાય. અને એવો ગોટાળો મુનિશ્રીના લેખમાં છે. તેઓ આધુનિક વિચારધારા, સર્વોદય વિચારધારા અને શાસ્ત્રમાં દાનનો નિષેધ–એ બધાને એક લક્ષની સિદ્ધિમાં સાધક માનતા જણાય છે. અથવા એમ કહેવું જોઈએ કે મુનિશ્રીને એમ સિદ્ધ કરવું છે કે તેરાપંથમાં જે દયાદાનનો નિષેધ છે તેનું સમર્થન આજની નવી વિચારધારા સર્વોદયની વિચારધારા અને શાસ્ત્રોની વિચારધારામાં પણ મળે છે. આખા લેખમાં સૌથી આશ્ચર્યજનક જે વાત છે તે તરફ ધ્યાન ખેંચી થોડી ચર્ચા કરવી આવશ્યક છે. તેમણે જણાવ્યું છે આપણી હાકલ “બધાની સેવા કરોને બદલે “કોઈને કષ્ટ ન દો'; બધાની રક્ષા કરો” ને બાદલે “કોઈને મારો નહિ'; “ગરીબોને દાન દો' ને બદલે સંગ્રહ ન કરો એવી હોવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy