SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ૦ માથુરી વસ્તુ ઉ૫૨ સર્વ મનુષ્યોનો સરખો અધિકાર છે એમ માનવામાં આવે છે. આ પ્રકારના સર્વસમાનાધિકારવાદને માનવામાં આવે તો એના આધારે રચાયેલા સમાજમાં દયા દાન એ બધું પોકળ છે, નિરર્થક જ છે. એને એમાં અવકાશ જ ન રહે એ સમજાય તેવું છે. એટલે એવા સમાજમાં દયા-દાનને સ્થાન ન જ હોય તે માની શકાય અને માનવું જોઈએ. જ્યાં બધી વસ્તુ ઉપર સૌનો સમાન હક્ક હોય ત્યાં એક કુટુંબભાવના-વિશ્વકુટુંબભાવના પ્રકટે અને એકબીજાને કાંઈ અપાય કે લેવાય તેમાં દયા-દાનનો પ્રશ્ન જ નથી. એક ભાઈએ બીજા ભાઈને કાંઈ આપ્યું તો તે જેમ દાન-દયામાં નથી ગણાતું તેમ એવા વિશ્વકુટુંબ બનેલા સમાજમાં આપલે થાય છતાં તે દયા કે દાન ન કહેવાય. જેનું હતું તેને તે દેવાયું છે અને લેનારે પોતાની જ વસ્તુ લીધી છે. દેનારે કાંઈ તેમાં સ્વાર્થત્યાગ કર્યો છે એમ નથી કહેવાતું. આ દૃષ્ટિએ સમાજવાદી સમાજમાં અધિકારવાદ છે, દયા-દાન નથી એ સાચું છે. પણ અધ્યાત્મવાદી વિચારકો જ્યારે દયા-દાનનો નિષેધ કરે કે તેનો સ્વીકાર કરે છે ત્યારે એ બન્ને ઠેકાણે તેઓ અધિકારવાદનો આશ્રય લઈ જ ન શકે. આવા લોકો આત્મા માને છે, તેને શાશ્વત માને છે. કર્મ અને તેનું ફળકર્મબંધ અને કર્મમોક્ષ એ માને છે. એવી સ્થિતિમાં આ સંસારની બધી વસ્તુ ઉપર તેમને માત્ર મનુષ્યજન્મ મળ્યો એટલા ખાતર અધિકાર મળી ગયો છે એમ કહી જ ન શકાય. એવો અધિકાર જો સ્વીકારાયો હોત તો વૈદિકોએ બ્રાહ્મણાદિ ચાર વર્ણોના અધિકારભેદની ચર્ચા કરીને ચાંડાલને નિકૃષ્ટ કોટિમાં મૂક્યો ન હોત. અને શ્રમણોએ પણતેમાં જૈનો અને બૌદ્ધો બન્ને આવી જાયન્ છે—તેમના તીર્થંકરોને ઉચ્ચ કુળમાં જન્મવાનું આવશ્યક ન માન્યું હોત. આધ્યાત્મિક ઉન્નતિ—જેમાં કોઈ ભાગ પડાવી શકે તેમ નથી જેને માટે અધિકાર-અનધિકાર કે મારું-તારુંનો પ્રશ્ન પણ ઊઠી શકે તેમ નથી. તેને માટે પણ જો એ શ્રમણોએ અધિકારભેદ સ્વીકાર્યો અને અમુક વર્ગને એવા ઉચ્ચ પદ માટે અનધિકૃત માન્યો તો જે ભૌતિક વસ્તુઓ છે, જેને માટે સૌ કોઈ લડવા તૈયાર છે એમાં સૌનો સરખો અધિકાર માનવાની વાત આધ્યાત્મિકો કરી જ કેવી રીતે શકે ? માણસ સુખી કે દુઃખી, સંપન્ન કે વિપત્ન પોતાના કર્માનુસાર બને છે એવી લગભગ બધા આધ્યાત્મિક ધર્મોની માન્યતા છે. તો એ બધા ધર્મો ભૌતિક વસ્તુ ઉપર સૌને સરખો અધિકાર છે એ સ્વીકારી જ કેમ શકે ? આધ્યાત્મિક ધર્મ તો અધિકાર ઉપર નહિ, પણ ત્યાગના પાયા ઉપ૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy