SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૦ માથુરી છે. પાકા સનાતની ગણાતા કરપાત્રી મહારાજ યજ્ઞસંસ્થાનો પુનરુદ્ધાર કરવા માગે છે એ જાણીતી વાત છે. તેઓ પણ એકવાર પૂનાના હિંસક પશુયજ્ઞ જોઈને આંચકો અનુભવી પાછા ફર્યા. અને આ રીતે તેઓ પણ યજ્ઞમાં હિંસાના સમર્થક નથી અને અહિંસક યજ્ઞો કરવાનું સમર્થન કરે છે અને માંસાશનનો પણ વિરોધ કરે છે. આ બધું વેદ પછીના જમાનામાં ભારતમાં અહિંસાનો સંસ્કાર જે વિકસ્યો તેનું ફળ છે. એટલે માંસાશનના સમર્થનમાં એ જૂની પુરાણી સ્મૃતિઓ ટાંકવી એ નિરર્થક છે અને આપણે કરેલા વિકાસના કાંટાને પાછો ફેરવવા જેવું છે. સ્વયં વેદ-બ્રાહ્મણકાળમાં, તે જ શાસ્ત્રોમાં હિંસા વિરુદ્ધ અહિંસાનું જે સમર્થન થયું છે અને ઉત્તરોત્તર તે વૈદિક વાડ્મયમાં અહિંસા વિચારધારાનો કેવો વિકાસ થયો છે એનો ઇતિહાસ વત્સલાબહેન તેના અભ્યાસી હોવાનો દાવો કરે છે, તે ન જાણે એમ તો બને નહિ, પણ પ્રસ્તુતમાં હિંસાનું સમર્થન કરતા તે ભૂલી જાય છે એમ જ કહેવું પડે. તેઓ તો નહિ; કારણ તેઓ તો એ શાસ્ત્રના અભ્યાસી છે, પણ બીજાઓ “Morals in Brahmanas” એ નામનો ડા. કર્ણિકનો લેખ જે મુંબઈ યુનિવર્સિટીના જર્નલના સપ્ટેબર ૧૯૫૮ (આર્ટ નં. ૩૩)માં પ્રકાશિત થયો છે તે વાંચશે તો જણાશે કે એ કાળે પણ અહિંસાનો કેટલા પ્રમાણમાં વિકાસ હતો. અને ત્યાર પછી તો અશોક અને કુમારપાળ જેવા રાજાએ તેના પ્રચારમાં જે કર્યું તે જાણીતું જ છે. એ જ રીતે આધુનિક યુગના પ્રબળ વેદસમર્થક અને યજ્ઞસમર્થક બ્રાહ્મણ સંન્યાસી દયાનંદસ્વામીએ હિંસા વિરોધમાં જે પ્રચાર કર્યો છે તે જાણીતો છે. આવી સ્થિતિમાં અહિંસાને માર્ગે જે સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી છે તે જો ત્યાગવા જેવી ન હોય તો, અને નથી જ, તો પછી વેદનાસ્મૃતિના માંસાશનના સમર્થનને આ ટાંણે યાદ કચ્વાનો કશો અર્થ નથી. (૨) માંસાશી લોકો જરૂરિયાત માની માંસ ખાતા હોય એટલા ઉપરથી તેની જરૂરિયાત તેમના પૂરતી ગણાય. પણ આપણો દેશ સમગ્રભાવે જોતાં નિરામિષાહારના વલણવાળો છે તો તેણે પોતાના એ વલણને પુષ્ટિ મળે એ માર્ગો અપનાવવા જોઈએ અને નહિ કે જે સંસ્કારોનું પોષણ તે પેઢીઓથી કરતો આવ્યો છે તેને તિલાંજલી આપવાનું વલણ સ્વીકારવું જોઈએ. ધંધાર્થી માંસ વેચે એ પ્રશ્નને અને દેશ માંસનો વેપાર અપનાવે એ પ્રશ્નને એક ત્રાજવે તોળાય નહિઃ એમ તો માણસ ભૂખનો માર્યો, બેકારીનો માર્યો ચોરી કરે, આપઘાત કરે—આવાં આવાં અનેક કુકર્મો કરે, પણ તેથી કાંઈ સમગ્ર દેશે ચોરીનું અગર આપઘાતનું વલણ સ્વીકારવું જોઈએ એવું નથી. પણ લોકો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy