SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાવિચાર વિરુદ્ધ ઉપયુક્તતાવાદ ૦ ૧૯૭ કરવું હોય તો તો પછી અહિંસાની અને શાંતિની વાતો આ દેશે કરવી છોડી દેવી જોઈએ. શ્રી પરમાનંદભાઈ અને શ્રીમતી વત્સલાબહેન મહેતા બંને એમ સામાન્યપણે માને છે, કે ભારતમાં માંસાહારી વર્ગ મોટો છે. અને વત્સલાબહેન તો વિશેષમાં કેટલાક આખા પ્રાંતના પ્રાંતોને માંસાહારી માને છે. આનો અર્થ જો એમ હોય કે ભારતમાં નિરામિષાહારી કરતા માંસાહારી વધારે છે તો તે એક મોટો ભ્રમ છે. યૂ.પી., બિહાર, બંગાળ વગેરેમાં બ્રાહ્મણો પણ માંસ ખાય છે એ સાચું છે, પણ તેનો અર્થ એવો નથી કે બધા બ્રાહ્મણો ખાય છે. માત્ર શૈવ અને તંત્રમાર્ગી અને તેમાં ગણ્યાગાંઠ્યા બ્રાહ્મણો ખાય છે અને વૈષ્ણવ બ્રાહ્મણો તો તેનો સ્પર્શ પણ કરતા નથી, અને બંગાળ વગેરેમાં શૈવ કરતા વૈષ્ણવો વધારે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. વળી આ દેશમાં ગરીબી એવી છે કે વધારે વર્ગને માંસ પોસાતું પણ નથી અને તે કારણે પણ માંસાહારી વર્ગ મોટો છે જ નહિ. કારણ ગરીબ વર્ગ જ ભારતમાં મોટો છે. ગરીબીને કારણે પણ જેમણે માંસ છોડ્યું છે તેમનામાં પણ તે પ્રત્યેની ઘૃણા સહજ છે. હવે તે ઘૃણાને નિવારી તેમને માંસ પ્રત્યે પ્રેરવા તેમાં દેશની શી ભલાઈ છે ? શ્રી. પરમાનંદભાઈના લેખના અનુસંધાનમાં શ્રીમતી વત્સલાબહેને જે લખ્યું છે તેના કેટલાક ચર્ચાસ્પદ મુદ્દા આ છે :- (૧) વેદ-સ્મૃતિમાં માંસનું સમર્થન છે; (૨) માંસાશી લોકો શરીર ટકાવવા જરૂરિયાત માની ખાય છે પણ જૈનો રેશમ-મોતીનો હિંસક ધંધો શા માટે કરે છે ? એ કાંઈ જરૂરિયાત નથી. રેશમનો નિકાસ કરનારા જૈનો માંસના નિકાસનો વિરોધ કેમ કરે છે ? બંનેમાં સરખી હિંસા કેમ નહિ ? (૩) વાંદરાની નિકાસમાં ખોટું શું છે ? તે આપણને જે નુકશાન કરે છે તે ઓછું કરશે અને વળી તેમના ઉપર પ્રયોગ થવાથી માનવના આરોગ્યનું રક્ષણ થાય છે—તો આપણો પ્રિયજન બચે એ આપણને ઇષ્ટ કે વાંદરો ? વાંદરા કરતાં મનુષ્યનું જ જીવન કીમતી છે તો તે જ બચવું જોઈએ. (૧) એ સાચું છે કે વેદ-સ્મૃતિ વગેરેમાં માંસાશનનાં વિધાનો છે, પરંતુ વત્સલાબહેન એ ભૂલી જાય છે કે આજનું આપણું જીવન એટલે કે કટ્ટર બ્રાહ્મણનું જીવન પણ વેદસ્મૃતિને આધારે નથી ચાલતું, પણ ધાર્મિક નિબંધો જે સ્મૃતિઓની વ્યાખ્યારૂપ બન્યા છે તેને આધારે ચાલે છે અને તેથી જ કાલવર્જ્ય ગણીને યજ્ઞની હિંસા અને માંસાશન ચુસ્ત બ્રાહ્મણોમાં નાબૂદ થયું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy