SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાવિચાર વિરુદ્ધ ઉપયુક્તતાવાદ ૦ ૧૯૯ ચોરી ન કરે, આપઘાત ન કરે એવું અર્થતંત્ર કે કાયદાતંત્ર ગોઠવવું એ દેશનું કામ છે. આથી જ મનુસ્મૃતિમાં કહેવાયું છે કે “પ્રવૃત્તિષા ભૂતાનાં નિવૃત્તિસ્તુ મહાતા'' તેમ જો દેશે અહિંસાને માર્ગે આગળ વધવાનું સ્વીકાર્યું હોય તો તેણે માંસનો વેપાર તો ન જ કરવો જોઈએ એ દીવા જેવી વાત છે. અર્થતંત્ર કે વિકાસયોજનાતંત્ર એવું ગોઠવવું જોઈએ કે જેથી દેશના સારા સંસ્કારો ટકી રહે અને લોકો સન્માર્ગે ટકી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, અને નહિ કે ગમે તે માર્ગે દેશમાં આવકનાં સાધનો ઊભા કરવા જોઈએ. જો એમ જ હોય તો પછી આપણા દેશે વૈજ્ઞાનિકો દ્વારા અણુબોંબ જ ઉત્પન્ન કરીને આપણા આસપાસના દેશોમાં વેચવા જોઈએ; શા માટે શાંતિ માટેના અણુસંશોધનને મહત્ત્વ આપવું ? આપણે તો પૈસાની જ જરૂર છે ને ? શાંતિ કે અહિંસાની શી જરૂર છે ? તાત્પર્ય એ જ કે શક્તિ છતાં આપણે શાંતિને માર્ગે જ અણુશક્તિનો ઉપયોગ સ્વીકારીએ છીએ તો પછી માંસનો વ્યાપાર કરી દેશનું શું હિત થવાનું છે એ પણ વિચારવું જોઈએ. જૈનો રેશમ કે મોતીનો વેપાર કરે છે તો તેમાં કેમ વાંધો નથી ઉઠાવતા અને માંસના વેપારમાં વાંધો શા માટે ઉઠાવો છો એવો પ્રશ્ન પણ વત્સલાબેનનો છે. બધા જૈનો કાંઈ સરખા નથી. માત્ર જન્મે નહિ પણ સંસ્કારે પણ જે ખરા જૈનો છે તેઓ તો એનો વિરોધ કરે જ છે અને એવા દાખલા પણ આપી શકાય તેમ છે. જ્યારે મોતીની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તે જાણવામાં આવ્યું ત્યારે લાખો રૂપિયાનો નફો છોડી દઈ એ વેપાર બંધ કરનારાઓ આ જૈન કોમમાં નથી પાક્યા એમ નથી. અજ્ઞાનને કે સ્વાર્થને કારણે માણસ જે કામ કરે તેનું સમર્થન ન કરી શકાય. પોતાને અહિંસક કહેવરાવવા છતાં જે જૈનો રેશમ કે મોતીનો વેપાર કરતા હોય તે ખરેખર અજ્ઞાની કે સ્વાર્થી છે પણ તેથી તેવાનું દૃષ્ટાંત આપીને આપણે માંસના વેપારનું સમર્થન ન કરી શકીએ એ કહેવાની જરૂર જ નથી. અને જૈનોમાં રેશમ અને તેવી હિંસક ચીજોને વ્યાપાર તો શું પણ વાપર પણ બંધ કરવાનાં આંદોલનો આધુનિક કાળે થયાં છે તેની વત્સલાબેનને કદાચ ખબર નથી. વત્સલાબેનની પોતાની દલીલ છે કે વાંદરા કરતાં મનુષ્યનું મહત્ત્વ વધારે છે, એ જ ન્યાયે કોઈ તેમને એમ પણ કહી શકે કે ગાયનું માંસ અને માછલીના મોતીમાં કે રેશમના ઉત્પાદનમાં થતી હિંસા સરખી નથી. એટલે જૈનો માંસાશનનો વિરોધ કરે છે તેટલા બળથી રેશમ કે મોતીનો વિરોધ નથી કરતા તો તેમાં વત્સલાબેનની દૃષ્ટિએ કાંઈ અનુચિત ન જ ગણાવું જોઈએ. આ તો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy