SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ૦ માથુરી કરી શકે અગર કરશે જેમને આગમ નહીં પણ પોતાની શિથિલતા વહાલી છે. આથી સમાજમાં કોઈ આ કાર્યને આગમવિરુદ્ધ છે, શાસ્ત્રવિરુદ્ધ છે એમ કહેવા નીકળે તો તેને સ્પષ્ટ સંભળાવી દેવું જોઈએ કે તમો આગમ જાણતા હશો ખરા, પણ તેના શબ્દોને-રહસ્ય ને નહીં. એ ફેંસલો પ્રસિદ્ધ થયા પછી એક સાધુએ પંજાબ સંઘમાંથી રાજીનામું આપી, પોતાના પ્રાયશ્ચિત્ત ભાગી ચેલાને ફરી દીક્ષા આપી છે. આવા સાધુઓને શ્રાવકનો સહકાર હોય તો જ આવી ખુલ્લી અવહેલના ફેંસલાની થઈ શકે. એટલે શ્રાવકોએ પોતાના ગુરુનો, સંપ્રદાયનો મોહ છોડી, સત્યનો મોહ રાખવો પડશે. જેમને ફેંસલા વિરુદ્ધ કંઈ કહેવાનું હતું તે અપીલ કરી શકતા હતા અને ન્યાય માગી શકતા હતા પણ તેમ ન કરતાં, સમસ્ત સંઘનું અપમાન કરવાની એ હિમ્મત કરે છે ત્યારે તેની પાછળ ઘેલા શ્રાવકોનું જ પીઠબળ જ તેમને શિથિલ થવામાં સહાયક થાય છે. એટલે હવે વિચારવાનું એ જ છે કે આપણે શિથિલતા નભાવવી ન હોય તો આવાં પ્રતિગામી બળોનો પ્રબળ સામનો કરવો જ જોઈએ અને માર્ગ ભૂલેલાને સાચે માર્ગે લાવવા જોઈએ. જૈન પ્રકાશ ૨૦-૧૦-૧૯૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy