SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પંજાબ સંઘનો ફેંસલો એક ક્રાંતિકારી પગલું ૧૮૧ જૈન શાસનમાં શ્રમણોને દંડ તો દેવાયા છે. સિદ્ધસેન દિવાકર જેવા શાસન પ્રભાવકોને પણ સંઘની માન્યતાથી વિરુદ્ધ વર્તવામાં સંઘ બહિષ્કારની આકરી સજા ભોગવવી પડી હતી, પણ એ દંડ દેનાર શ્રમણ સંઘ જ હતો. શ્રમણોપાસક કોઈ પણ શ્રમણના દોષો ઉપર વિચાર કરીને ન્યાય કરવા અધિકારી મનાયો નહોતો; તે પ્રથાનો સદંતર ત્યાગ કરીને પંજાબના સમસ્ત સંઘે એટલે કે શ્રાવક અને શ્રમણ સંઘે મળીને અમુક સાધુઓના દોષોની આલોચના સાંભળી અને તેનો ન્યાય આપ્યો છે. આ એક અપૂર્વ ઘટના છે અને આનાં દૂરગામી સુપરિણામો અવશ્ય આવશે. પંજાબના એ પ્રતિનિધિઓ માત્ર સાંભળી અને ન્યાય આપીને જ નથી બેસી રહ્યા, પણ એ આખી કાર્યવાહીને સંક્ષિપ્તમાં પ્રસિદ્ધ પણ કરી છે જેથી બીજાઓને પણ જાણ થાય કે સાધુઓએ કેવા કેવા દોષો કર્યા છે અને તેની શી સજા તેમણે આપી છે. પંજાબ સંઘનું અનુકરણ જો પ્રત્યેક પ્રાંતમાં થાય-પ્રત્યેક સંધાડા, સંપ્રદાયમાં થાય–પ્રત્યેક ગામનો સંઘ કરે તો સાધુ સમુદાયની શિથિલતા એક વર્ષમાં અવશ્ય દૂર થઈ જાય અને આ ક્રાંતિકારી પગલાને એકલો સ્થાનકવાસી જ નહિ, પણ મૂર્તિપૂજક અને દિગમ્બર સમુદાય પણ જો અપનાવે તો જૈન ધર્મ અને જૈન સમાજનું ભાવી ઉજ્જવળ બને એમાં શંકાને સ્થાન નથી. કેટલાક છેદશાસ્ત્રને નામે આવી નવી પ્રવૃત્તિને દાબી દેવા પ્રયત્ન કરશે, પણ તેમણે સમજવું જોઈએ કે આ છેદશાસ્ત્રો ભગવાને સ્વયં રચ્ય નથી. ભગવાનની આજ્ઞા વિશે આચાર્ય હરિભદ્રનું સ્પષ્ટ કથન છે કે “તેમણે આ કરવું કે આ ન કરવું એવી વિધિનિષેધોની હારમાળા આપણને આપી નથી, પણ તેમણે માત્ર સંયમમાર્ગના પાલનનો એકાંત ઉપદેશ આપ્યો છે. સંયમમાર્ગની પુષ્ટિ જે રીતે થાય તે રીતે આપણે સમયાનુસાર વર્તવું જોઈએ. છૂપી આલોચના અને છૂપા પ્રાયશ્ચિત્તનું પરિણામ શિથિલતામાં આવ્યું છે તે સ્પષ્ટ છે; તો પછી હવે પંજાબ સંઘે જે નવો માર્ગ અપનાવ્યો છે તે માર્ગે આપણે સૌએ શા માટે ન જવું? વળી સ્થાનકવાસીમાં જેઓ સૌથી વધારે આગમજ્ઞ ગણાય છે, જેઓ શાસ્ત્રના રહસ્યના શ્રેષ્ઠ જ્ઞાતા ગણાય છે, જેમણે પોતાની આખી જિંદગી માત્ર આગમના ઊંડા અભ્યાસ પાછળ વિતાવી છે તેવા આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે આ નવો માર્ગ અપનાવ્યો છે, એટલે તેમની આ નવી પ્રવૃત્તિને આગમવિરોધી માનવાની તેઓ જ હિલચાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy