SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ૭ માથુરી કરવા લાગ્યા. બીજાને દીવા જેવો સ્પષ્ટ દેખાતો દોષ પણ ભક્તને ઉઘાડી આંખે પણ દેખાય જ નહીં એવી સ્થિતિ થઈ પડી. પરિણામ એ આવ્યું કે શ્રમણ સમુદાયમાં આચારની શિથિલતા ઉત્તરોત્તર વધવા માંડી. મૂર્તિ ખંડિત થાય તો તેને એક કોરે મૂકી, બીજી પૂજા સ્થાને પધરાવાય. પણ આ જીવિત મૂર્તિ ખંડિત થાય તો પણ પોતાનું સ્થાન જાળવી રાખવા પૂરો પ્રયત્ન કરે અને શ્રમણોપાસકને ઊંધા પાટા બંધાવી શકે. પરિણામ એ આવ્યું કે પોતાના ગુરુના હજાર દોષોને પણ ઢાંકવાની અને બીજા સમુદાયના ગુરુના નાના દોષો પણ ઉઘાડા કરવાની લાલસા વધી. ફલ સ્વરૂપ આખા સ્થાનકવાસી સંઘના જુદા જુદા સંપ્રદાયો, એક જ ધ્યેય અને એક જ માર્ગ હોવા છતાં ભૂલી ધ્યેયને કોરે મૂકીને આખા સમુદાયને છિન્નભિન્ન કરી નાખ્યો. શ્રમણ સંધમાં શિથિલતા આવવાનું એ પણ કારણ છે કે શ્રમણોના દોષો પ્રકટ અથવા અપ્રકટ થયા હોય તેની આલોચના અને પ્રાયશ્ચિત્તની આવશ્યકતા જૈનશાસ્ત્ર સ્વીકારે છે, પણ તે આલોચના અગર પ્રાયશ્ચિત્તની જાણ સાધુ સમુદાયમાં પણ બધાને આવશ્યક નથી. એ ક્રિયા લગભગ, મોટે ભાગે ગુરુ અને શિષ્ય વચ્ચે જ પતી જાય છે. બીજાને તેની ક્યારેક જ–જ્યારે સંઘ બહિષ્કાર જેવી સજા હોય ત્યારે જ જાણ થાય છે; એટલે દુષ્ટને બહુ શરમાવા જેવું નથી. આ પદ્ધતિના ગુણોની ચર્ચા કરવાનું આ સ્થાન નથી, પણ તેના જે બૂરાં પરિણામ આવ્યાં તે સ્પષ્ટ છે. અને તે એ કે મોટે ભાગે ગુરુ દ્વારા પ્રાયશ્ચિત્ત અપાતું જ નથી અને દુષ્ટો માતેલા સાંઢ જેમ ધૃષ્ટતાપૂર્વક સમાજમાં આદરપાત્ર બને છે. ગુરુ પ્રાયશ્ચિત્ત આપવા તૈયાર નથી, કારણ સ્વયં પણ અદુષ્ટ નથી હોતા અને શિષ્યમોહ પણ ખરો. તે તેમને છોડીને સમુદાયાન્તરમાં ચાલ્યો જાય છે અને બીજા સમુદાયવાળા આવા દુષ્ટોને સંઘરવા પણ તૈયાર હોય છે. એ પણ ભય ખરો કે બીજે જઈને ગુરુના દોષોને વર્ણવી દે તો ગુરુની પણ માનહાનિ થાય; અગર પોતાનો નવો સમુદાય ઊભો કરીને, સામા મોરચા માંડવા પણ તૈયાર હોય છે. આવાં આવાં અનેક કારણોને લઈને સાધારણ રીતે ગુરુઓ પોતાના ચેલાને, કોઈ પણ જાતનો દંડ દેવા તૈયાર નથી. ફળ એ આવ્યું છે કે સાધુસમુદાયમાં શિથિલતા વધતી જાય છે. આવે વખતે આ વિષચક્રમાંથી ઊગરવાનો માર્ગ પંજાબ સંઘે અપનાવ્યો છે. એ ખરેખર ક્રાંતિકારી પગલું છે; ક્રાંતિકારી એટલા માટે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy