SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. પંજાબ સંઘનો ફેંસલો : એક ક્રાંતિકારી પગલું જૈન પ્રકાશના વાંચકો તાજેતરમાં પંજાબ સંધે, કેટલાક સાધુઓને તેમના દોષાનુસાર વિવિધ પ્રાયશ્ચિત્તો આપ્યા છે તે અજાણ્યું નથી. આ બાબતની ચર્ચા અન્ય છાપાઓમાં જેવી થવી જોઈતી'તી તેવી થઈ નથી તેથી આશ્ચર્ય થાય છે. ભગવાન મહાવીરના અઢી હજાર વર્ષના લાંબા શાસન કાળમાં એક રીતે આ બનાવ અપૂર્વ છે. છતાં જૈન સમાજે એ બાબતને માત્ર નજીવી ગણીને તેની ઉપેક્ષા કરી હોય તેમ જણાય છે. સ્થાનકવાસી સમાજના મૂળ, શ્રી લોંકાશાહ કૃત ક્રાંતિમાં છે એમ કહેવાય છે. તે કેટલું સાચું છે તે હજુ સંશોધનની અપેક્ષા રાખે છે, પણ એટલું તો કહી જ શકાય કે જે વખતે મૂર્તિપૂજાનું આંદોલન પ્રબળ હતું તે વખતે મૂર્તિપૂજાનો નિષેધ કરી, નવો સમાજ ઊભો થયેલ છે એ વસ્તુ પ્રત્યક્ષસિદ્ધ છે. અને એમાં કાંઈ જેવી તેવી ક્રાંતિ નથી, પણ જ્યારે કોઈ પણ સમાજ બંધાય છે ત્યારે તેની ક્રાંતિકારી ભાવના શિથિલ થઈ જાય છે. તેને ઘણી બાંધછોડ કરવી પડે છે. પરિણામે જે સમુદાય મૂર્તિપૂજાનો નિષેધ કરી, આગળ આવ્યો હતો તે જીવિત મૂર્તિનો પૂજક બની ગયો. જડમૂર્તિ કદી કાંઈ પ્રેરણા આપતી હોય તો તે સાધકને ઊંચે લઈ જવાની આપે છે. તેથી વિપરીત પ્રેરણા આપવાની શકિત તેનામાં નથી, પણ જીવિત મૂર્તિઓ વિશે તેમ ન કહી શકાય; તે તેના પૂજકને ઉદ્ધાર અને પતન બંનેની પ્રેરણા આપી શકે છે. સ્થાનકવાસી સમુદાયમાં શ્રમણો જ મુખ્યત્વે મૂર્તિસ્થાનીય હતા. તેમણે સમાજને ઊંચા ઉદ્ધારના માર્ગે લઈ જવાને બદલે મોટે ભાગે નાના પ્રકારના વાડાઓમાં બાંધી રાખવાની કોશિશ કરી. જડમૂર્તિનો પૂજક તો ભગવાનની ગમે તે મૂર્તિ પાસે, ગમે ત્યાં જઈ શકતો; પણ આ વિત મૂર્તિના પૂજકો તો એવા જકડાઈ ગયા કે તેમનામાં વ્યક્તિને પારખવાની શક્તિ જ બૂઠી થઈ ગઈ અને પોતાના ગુરુમાં જ સાક્ષાત્ ભગવાનનાં દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy