SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વમાન્ય શ્રાવક પ્રતિક્રમણ ૧૭પ એ પ્રતિક્રમણ વ્યક્તિગત હતું છતાં જન્મથી જૈનો માત્ર માની લીધેલું જૈનત્વ જાળવી રાખવાની ભાવનાથી જ, ચાર મહિને કે વરસના અંતે એ પ્રતિક્રમણ એક વાર કરવું પડતું હોવાથી કરતા. તેમણે એ પ્રતિક્રમણને કદી સમજવાનો પ્રયત્ન કર્યો હોય એમ જણાતું નથી. તેથી શરૂઆતમાં એવાએ વ્રતધારીઓ સાથે બેસી પેલા વ્રતધારીઓ જે બોલે તે સાંભળી પોતાને પ્રતિક્રમણના વિષયમાં કૃતકૃત્ય માનતા હશે. આ રીતે ધીરે ધીરે અવ્રતધારીઓએ પોતાના માથેથી સૂત્રપાઠોચ્ચારનો ભાર પણ હલકો કરવા માંડ્યો. પરંતુ સમય જતાં એક મુશ્કેલી નડી હશે. તેમને વ્રતધારી મેળવવામાં મુશ્કેલી પડતી હશે. તેથી અવ્રતધારીઓને સૂત્રપાઠ યાદ કરવાનું બળજબરીથી સ્વીકારવું પડ્યું હશે. પછી તો આજે આપણે જોઈએ છીએ તે સ્થિતિ આવી ગઈ કે અવ્રતધારી જે કોઈક સૂત્રપાઠ જાણતો હોય–બોલે અને બીજા જેને સૂત્રપાઠ ન આવડતો હોય તે સાંભળે. એ બન્નેને ભાવપ્રતિક્રમણ સાથે કશી લેવા દેવા હતી જ નહિ પરિણામે આજે આપણે જોઈએ છીએ કે સમાજમાંથી વ્યક્તિગત પ્રતિક્રમણનો લોપ થઈ ગયો છે. અને માત્ર સામૂહિક પ્રતિક્રમણ રહ્યું છે. અને સાથે સાથે એવી પણ માન્યતા બંધાઈ ગઈ છે કે પ્રતિક્રમણ વ્યક્તિગત તો થાય જ નહિ. અત્યારે તો એક બોલે ને બીજા બધાં સાંભળે–આ રૂપમાં પ્રતિક્રમણ થાય એ જ પ્રતિક્રમણ—કેમ જાણે બધાના દોષો સરખા જ થતા હોય. ખરી વાત તો એ છે કે પ્રતિક્રમણ કરનારમાંના ઘણાને ભાવપ્રતિક્રમણની પડી નથી નહિતર આવી પરસ્પર વિરોધી માન્યતાઓ એક મગજમાં કેવી રીતે વાસ કરી શકે ? પ્રતિક્રમણ અને તે સામૂહિક હોય એ બે વાત જ વિરોધી છે તે જરા બુદ્ધિનો ઉપયોગ કરીએ તો સહજમાં સમજાઈ જાય તેવું છે, ખરી વાત એ છે કે આપણામાંના ઘણાને પ્રતિક્રમણની નથી પડી પરંતુ પ્રતિક્રમણ નહિ કરીએ તો જૈનત્વ ચાલ્યું જશે એ ભય એવો છે કે સાચા કે ખોટા પ્રતિક્રમણ તરફ દોરે. માટે પ્રતિક્રમણ-ભાવ પ્રતિક્રમણ કરવું હોય તો સમાજમાંથી પ્રચલિત સામૂહિક પ્રતિક્રમણની પ્રથાનો સદંતર નાશ થવો જોઈએ. હા, એટલું જરૂર કરી શકીએ કે સૌ નિશ્ચિત સમયે ઉપાશ્રયમાં પણ આવી વ્યક્તિગત પ્રતિક્રમણ કરે. આપણે ઉપર જોયું તેમ જયારે ભૂલ થઈ હોય તે જ ક્ષણે તો ભૂલની આલોચના કરી લેવી આવશ્યક છે જ પરંતુ સૌ કોઈ પાછા નિશ્ચિત સમયે ફરી આલોચના કરે અને તે ઉપાશ્રયમાં આવી કરે તો સામૂહિક જરૂર કહેવાય પરંતુ એ સામૂહિક એવું નહિ કે એક બોલતો હોય અને બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy