SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ૦માથુરી પ્રતિક્રમણનો રિવાજ થયો છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે જૈન શાસનમાં એક સમય એવો હતો કે જ્યારે પ્રતિક્રમણ માટે અત્યારની જેમ નિશ્ચિત સમય ન હતો. પરંતુ આપણે એ બન્ને રિવાજો વચ્ચે સમન્વય કરીને ઉપરનો માર્ગ સ્વીકારીએ તો અનુચિત નહિ ગણાય પરંતુ તેથી આપણું સમયાનુકૂલ વર્તન સિદ્ધ થશે. સામૂહિક કે વ્યકિતગત આપણે ઉપર જોયું તે પ્રમાણે પ્રતિક્રમણમાં વ્યક્તિની જે ભૂલો થઈ હોય તેનો પશ્ચાતાપ કરવાનો છે. પ્રત્યેક વ્યક્તિની ભૂલો સરખી નથી હોતી તેથી પ્રતિક્રમણ વ્યક્તિગત જ હોવું જોઈએ અને હતું. અત્યારે તો આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ તે વ્યકિગત નહિ પરંતુ એ સામૂહિક થઈ ગયું છે. તેથી એ ક્રિયા જીવંત થવાને બદલે મુડદાલ થઈ ગઈ છે. પ્રતિક્રમણ વ્યક્તિગત હતું એ સામૂહિક કેવી રીતે થઈ ગયું છે તે વિશે જરા અહીં વિચારીએ તો અનુચિત નહિ ગણાય. પ્રતિક્રમણની પ્રથા જૈનોમાં કેમ ચાલી એ વિચારીએ તો જણાશે કે ભગવાન મહાવીરનો ઉપદેશ જેઓને રુચતો તેઓ તેમની પાસે પાંચ મહાવ્રત કે શ્રાવકના બાર વ્રતો અંગીકાર કરતાં હતા. જેઓ વ્રત અંગીકાર કરતા તેઓમાં કદી દોષ ન આવે એ તો બને નહિ. મનુષ્ય ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ જાણ્યેઅજાણ્યે ભૂલ કરી બેસે જ અને એવી ભૂલો વધે નહિં તેમજ એકની એક ભૂલ ફરી થાય નહિ એટલા માટે પ્રતિક્રમણની પ્રથા શરૂ થઈ અને સામાન્ય ભૂલો કેટલી હોઈ શકે-કેટલી ભૂલો થવાનો સંભવ છે એવી સંભવિત ભૂલોની તાલિકા બનાવી તેને સૂત્રરૂપે ગોઠવી દીધી જેથી યાદ કરવામાં સરળતા થાય. એ પ્રતિક્રમણની શરૂઆત. શરૂઆતમાં એ પ્રતિક્રમણ જેઓ વ્રતધારી હોય તેમને માટે આવશ્યક ગણાતું કારણ કે જૈનસંઘ એવા વ્રતધારીઓનો જ બનેલો હતો. તેથી તેમના વ્રતોને ધ્યાનમાં રાખીને પ્રતિક્રમણ ઘડાયું હતું. પરંતુ જેમ સમય વ્યતીત થતો ગયો તેમ જૈન સંઘ માત્ર એવા વ્રતધારીઓનો જ રહ્યો નહિ પરંતુ એ વ્રતધારીઓના કુટુંબનો થતો ગયો. એટલે શરૂઆતમાં વ્રતથી જૈન થતા તે મટી જન્મથી જૈન થવા લાગ્યા–અર્થાત પરિણામ એ આવ્યું કે પ્રતિક્રમણના આશય સુધી પહોંચાતું જ નથી માત્ર રૂઢિગત હોવાથી એ કરવું જોઈએ એ ભાવનાથી કર્યું જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy