SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જેને જીવન પ્રબુદ્ધ ક્યારે બનશે? • ૧૬૭ હાર્યા તો પણ તેમને સમજાયું નહીં હોય એટલે છેવટે શ્રી વૃષભદાસ મહાવીર જયંતીની સભામાં અમદાવાદમાં મારવામાં આવ્યા ત્યારે જ તેમને સંતોષ થયો હશે. પાલિતાણામાં એસ.ટી.ના સ્ટેન્ડ ઉપર ભ. ઋષભદેવનું કલાપૂર્ણ મ્યુરલ મૂકવામાં આવ્યું છે અને હવે તેનો વિરોધ ચાલી રહ્યો છે. આ સમાજ એક તરફ કહે છે કે “સર્વ જીવ કરું શાસનરસી અને બીજી તરફ આવા કલાપૂર્ણ આકર્ષક કાર્યનો વિરોધ કરે છે આવું દુર્ભાગ્ય તો અન્યત્ર જોવા મળે જ નહીં. સમાજમાં ચાલી રહેલી આવી દુષ્ટપ્રવૃત્તિનાં કેટલાં ઉદાહરણ આપવાં? તાત્પર્ય એ જ છે કે ૨૫ લાખની વસ્તી ધરાવતો આ સમાજ પૈસે ટકે કાંઈક સુખી છે અને તે ક્યાં કેમ વાપરવો તેની સૂઝ કે સમજ તેમાં એટલી છે એટલે આવા હંગામામાં રસ લે છે અને પૈસા વેડફે, તેનો જ સન્માર્ગે સદુપયોગ ક્યારે વિચારવામાં આવશે તે કહેવું કઠણ છે. સમાજના નેતા સાધુઓ છે અને તેમને માત્ર પોતાની પ્રતિષ્ઠા યેનકેન પ્રકારેણ થાય તેમાં રસ છે. બધા આવા નથી પણ જેઓ પ્રગતિશીલ વિશ્વાસ ધરાવે છે તેમનો સાવ જ બહિષ્કાર થાય છે. આ પ્રવૃત્તિ નવી નથી અને આજે પણ ચાલી રહી છે. તેમાંથી જ્યાં સુધી સમાજ મુક્ત નહીં થાય અને પ્રગતિશીલ વિચારો આગળ હિંમત ધરી નહીં આવે ત્યાં સુધી સમાજ પોતાના રૂઢ માર્ગે જ જવાનો છે. મુંબઈ જૈન યુવકસંઘ પોતાના ૫૦ વર્ષની ઉજવણીમાં કેવો માર્ગદર્શક બને છે તે જોવાનું છે. પ્રબુદ્ધ જીવન ૧-૧૧-૧૯૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy