SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬૦ માથુરી દેરાવાસી સંપ્રદાયમાં મુક્ત મેદાન મળી રહ્યું છે અને બાળદીક્ષાઓ પૂર્વવત્ અપાય છે અને આજે કોઈ વિરોધ કરનાર રહ્યું નથી, તો શું એમ સમજવું કે બાળદીક્ષામાં કશું વિરોધ જેવું છે નહીં. માટે મુંબઈ જૈન યુવક સંઘે એ પ્રવૃત્તિ બંધ કરી છે ? કે પછી સંઘ પાસે એ પ્રકારના સભ્યો નથી જેઓ આવી વિરોધ પ્રવૃત્તિ ચલાવે. ગમે તેમ હો પણ આવી પ્રવૃત્તિ બંધ પડી છે એ હકીકત છે અને મુંબઈ જૈન યુવક સંઘના પચાસ વર્ષની ઉજવણી ટાણે આ વાતનો વિચાર થાય એ જરૂરી છે. ‘પ્રબુદ્ધ જૈન'માંથી ‘પ્રબુદ્ધ જીવન' થયું પણ સંઘમાંથી તો માત્ર ‘યુવક સંઘ’ નથી થયો તે ‘જૈન યુવક સંઘ' છે જ તો જૈન સમાજના પ્રશ્નો એ ટાળી શકે નહીં. જૈન સમાજ પોતાનાં મંતવ્યો વિશે એટલું આળું મન ધરાવે છે એ સાચું પણ આજની માન્યતાથી વિરુદ્ધ હોય તો તે વાંચવા કે સાંભળવા તૈયાર નથી, આ પ્રકારની સમાજને જે કેળવણી મળી છે તેને કારણે જૈન સંશોધનનો માર્ગ અવરુદ્ધ થઈ ગયો છે, હમણા એક દિલ્હીની વિદ્યાર્થીનીએ Ph. D. માટેના પોતાના મહાનિબંધમાં માંસ પ્રકરણને યથાર્થ રીતે રજૂ કર્યું તો તેના વિરોધમાં વંટોળ ઊભો થયો. તે ત્યારે જ શમ્યો જ્યારે એમ સમજાયું હશે કે આ બાબતમાં ચોળીને ચીકણું કરવામાં ફાયદો નથી. એક જમાનો એવો હતો કે જ્યારે છેદસૂત્રોના મુદ્રણનો વિરોધ થતો પણ આજે વિદેશમાં છેદસૂત્રોનો અભ્યાસ બહેનો કરવા લાગી છે તેને રોકી શકે તેમ નથી. જૈન ધર્મનાં મંતવ્યો લોકકલ્યાણકારી હોય પરંતુ તેવા સંશોધનમાં સત્ય બહાર આવે તેમાં વિરોધને શું કારણ હોઈ શકે ? આપણને પોતાને જ આપણા સિદ્ધાંતોમાં પૂરી શ્રદ્ધા ન હોય તો જ મનમાં ગભરાટ થાય પણ પૂરી આસ્થા હોય તો વિરોધ કરવાપણું ૨હે ક્યાંથી ? એક તરફ માનવું કે અમારા ધર્મમાં તો બધું સારું જ છે પછી સંશોધનથી ડર શા માટે ? પં. શ્રીબેચરદાસજીએ બે માસ પૂર્વે પોતાની સંપૂર્ણ જવાબદારી અને ભ. મહાવીર અને ગણધર શ્રી ગૌતમની પૂરી ભક્તિથી લેખ લખ્યો પણ તે ૮૯ વર્ષની ઉંમરે તેમને તે માટે માફી માગવી પડી તે માગત નહીં પણ પથારીવશ હોઈ મારે તેમને સલાહ આપવી પડી કે ‘કજિયાનું મોં કાળું”. માની આ વાતને પતાવી દો, સ્વસ્થ હોત તો લડી લેવાત.' એક સજ્જને તેમને કેસ કરવાની ધમકી આપી હતી. ભગવાન મહાવીરના નિર્વાણ ઉત્સવ વખતે જે વિરોધનો વંટોળ ઊઠ્યો હતો તે વિચારપૂત ન હતો એ તો વિરોધીઓ હાઈકોર્ટમાં ગયા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy