SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન જીવન પ્રબુદ્ધ કયારે બનશે? - ૧૬૫ તેરાપંથમાં આચાર્યના ફોટા આચાર્યની સભા સમક્ષ પણ વેચાય તેનો કોઈ વાંધો લેતું નથી. આ તેમનું સમાધાન સમયને અનુસરતું અને વાજબી છે. પણ સ્થાનકવાસીમાં વારંવાર ઠરાવો થાય છે કે કોઈ સાધુ ફોટા પડાવે નહીં છતાં સ્વયં આચાર્યના ફોટા અને બીજા સાધુઓના ફોટા પ્રચારમાં છે જ તો પછી વારંવાર ફોટા ન પડાવવા એવો જે આગ્રહ થાય છે તે બિનજરૂરી છે. એક સમયે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો તેના જે કારણો હતા તે ફોટામાં ઉપસ્થિત થતા ન હોય તો વિરોધ કરવાનું કશું કારણ નથી. પણ રૂઢિનું અનુસરણ માત્ર કરવા ખાતર એ વિરોધ થાય છે જેનો હવે કશો અર્થ નથી. સ્થાનકવાસી સમાજના આચાર્ય આ બાબત સ્વયં વિચારે અને વિરોધથી દૂર રહે એ ઇષ્ટ જ નહીં પણ સમયને અનુકૂળ છે. અન્યથા તેમના આદેશનું કોઈ પાલન ન કરે એવી જ પરિસ્થિતિ છે અને રહેશે. હમણાં વાંચવામાં આવ્યું “પ્રભુ (ઋષભ) દીક્ષિત થયા ને કેવળજ્ઞાન પ્રગટ થયું ત્યાર બાદ જે મોક્ષમાર્ગ સ્થપાયો ને તેનો ઉપદેશ આપ્યો તેમાં શિલ્પો, કળાઓ આચરવાનો નહીં પરંતુ તે સર્વને હેય તરીકે ઉપદેશ, તે સર્વને છોડવાનો જ ઉપદેશ આપ્યો છે અને તે સર્વને સંસાર વૃદ્ધિનું જ કારણ કહ્યું છે. (સંદેશ' તા. પ-પ-૭૮) આ ઉપદેશ આચાર્ય રામચંદ્રસિંહનો છે. આચાર્યશ્રી વ્યવહાર અને નિશ્ચય ધર્મને માનતા જણાતા નથી. અન્યથા સર્વને છોડવાનો જ ઉપદેશ ભગવાન ઋષભનો હતો એમ એકાંતે કહેતા પૂર્વે વિચાર કરત. વળી તે સર્વે સંસારવૃદ્ધિનું જ કારણ છે એમ પણ કહેતાં નહીં, જો વસ્તુસ્થિતિ આમ જ છે તો પછી મંદિરોનું શિલ્પ અને સ્થાપત્ય અને કલ્પસૂત્રની ચિત્રકલા પણ સંસારવૃદ્ધિનું જ કારણ આચાર્યને મત ગણાય. આવી વાત સ્થાનકવાસી સંપ્રદાયના આચાર્યને મોઢે કદાચ શોભે પણ આચાર્યશ્રી તો મંદિરોની પ્રગતિમાં માને છે, તેમાં ભાગ અને રસ પણ લે છે તો શું તેઓ સંસારવૃદ્ધિ જ કરી રહ્યા છે કે માત્ર પંડિતો જ આધુનિક કાળને અનુરૂપ જૈન ધર્મની વ્યાખ્યા કરે છે તેમને ઉતારી પાડવા માટે જૈન ધર્મની આવી વ્યાખ્યામાં રસ લઈ રહ્યા છે તે વિચારવા જેવું છે. એક જમાનો એવો હતો કે મુંબઈ જૈન યુવક સંઘ સક્રિય હતો. બાળદીક્ષા કે એવા સમાજને હાનિકર્તા પ્રસંગે તેનો વિરોધ એ સંઘના સભ્ય કરતા. આજે બાળદીક્ષા કે એવા પ્રસંગે વિરોધનો કોઈ ઉચ્ચાર પણ કરતું નથી. એ વિરોધમાંથી બોધપાઠ લઈ તેરાપંથી સંપ્રદાયે પારમાર્થિક સંસ્થા કાયમ કરી. સ્થાનકવાસી સંપ્રદાયે શ્રમણી વિદ્યાપીઠ ઊભી કરી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy