SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ - માથરી લકીરનો ફકીર છે અને તેમ કહેવરાવવામાં બધી જ તાકાત ખરચાઈ જાય એવો ઘાટ થઈ ગયો છે, એવી પરિસ્થિતિમાં રાજગિર કે વીશયત્વ લાડનૂની વિશ્વભારતી અને હમણા જ જેનું ઉદ્ઘાટન થયું તે મહાવીર સ્મૃતિમાં બંધાયેલ સુરતની હૉસ્પિટલ કાંઈક આશાના કિરણ આપી જાય છે પણ આવી પ્રવૃત્તિનો વિકાસ વધારવામાં આવે તો જ સમાજનું રૂપાંતર થાય, અન્યથા નહીં. ધાર્મિક આરાધનામાં કેટલા ઉપવાસો થયા તેની વિસ્તૃત નોંધ આવે છે પરંતુ માનવહિત કે રાહતના કાર્યો કેટલા થયા તેની કોઈ નોંધ નથી. આ બધું વાંચી ભ. મહાવીર વિશે બુદ્ધે જે આક્ષેપ કર્યો છે તે સાવ નિર્મૂળ તો નહીં હોય તેમ જણાય છે. ભગવાન મહાવીરની તપશ્ચર્યામાં ધ્યાનનું મહત્ત્વ ઉપવાસ કરતાં પણ વધારે હતું પરંતુ સમાજે તેમના ઉપવાસો વિશે જ વધારે અનુકરણ કર્યું. પરિણામે આજે તપશ્ચર્યાને નામે ઉપવાસની જ વાત મુખ્ય લેખાય છે. આ ત્રુટિ તરફ આચાર્ય તુલસીનું ધ્યાન ગયું છે અને સમાજમાં ઉપવાસ નહીં પણ ધ્યાન વિશે વધારે પ્રચાર થાય તેવો પ્રયત્ન તેમણે આદર્યો છે, આથી વર્ષો વીતતાં જશે તેમ ભ. મહાવીરને અપાતું કલંક ક્રમે ધોવાઈ જશે એવો વિશ્વાસ બેસે છે. શ્રાવકો માટે ઉપવાસનું એટલું જ મહત્ત્વ નથી જેટલું સત્કાર્યો માટેનું હોય. પણ ગાડી ઊંધે પાટે ચડી ગઈ છે. સાધુઓની કરણીની નકલ શ્રાવકો કરવા લાગી ગયા છે અને તેથી તેમના પોતાના જે વિશેષ કર્તવ્યો છે તેની ઉપેક્ષા દેખાય છે. સ્થાનકવાસી અને દહેરાવાસીમાં હજી પણ એ ચર્ચાનો વિષય છે કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો કે નહીં. હજારેક માણસો સાંભળવા આવે તે માટે શાનદાર શમિયાણાં ઊભાં કરવામાં આવે તો તેમને ગમે છે. પણ લાઉડસ્પીકરનો વિરોધ છે. હજારો માણસો આદરભાવે સાંભળવા આવે અને નિરાશ થઈને જાય એ હિંસા તેમણે કરી તેનો વિચાર આવતો નથી પણ તે જેમાં હિંસા થાય છે કે નહીં એ જ હજુ જયાં નિશ્ચિત નથી એવા લાઉડ સ્પીકરનો ઉપયોગ તો ન જ થાય. આવું ગાંડપણ ક્યાં સુધી આ સમાજમાં રહેશે ? આવી હિંસાનો જ જો ડર હોય તો મોટા શમિયાણા ઊભાં કરી, આડંબર કરી ભાષણો કરવાનો મોહ શા માટે તજવામાં આવતો નથી એ મારી સમજની બહાર છે. સ્થાનકવાસી અને તેરાપંથી બન્ને મૂર્તિપૂજામાં માનતા નથી. પણ મનુષ્ય પ્રકૃતિ જ કંઈક એવી છે કે તેને આલંબન તો જોઈએ જ, પરિણામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy