SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઊગતી પ્રજામાં ધાર્મિક સંસ્કારો શી રીતે સચવાય? • ૧૫૯ અત્યારે તો કોઈ હિંદુને પૂછશો તો સંધ્યા, પૂજા, વંદનાદિ અનુષ્ઠાન કરતી વ્યક્તિને સંસ્કારી મનુષ્યના નમૂના તરીકે આપણી આગળ ખડો કરશે. કોઈ જૈનને પૂછશો તો સામાયિક, પ્રતિક્રમણ વગેરે નિત્ય નિયમો પાળતા માનવને જ સંસ્કારી વ્યક્તિ તરીકે આપણી સમક્ષ ઊભી કરશે. એવી જ રીતે ઈસાઈ અગર એવા બીજા કોઈ પણ ધર્મવાળાને પૂછશો તો તેઓ સ્વમતિ અનુસાર એવી જ કોઈ પ્રાર્થના અગર એવું બીજું કાંઈ કરતી વ્યક્તિના આપણને દર્શન કરાવશે. જમાનો બદલાય છે. તેમાં આદર્શો પણ અવશ્ય બદલાવાના. કોઈ જમાનામાં એવી વ્યક્તિ જોઈને આપણે તેમને સંસ્કારી માની લેવા તૈયાર હતા. પરંતુ આ જમાનો જ એ આદર્શો સ્વીકારવા ના પાડે છે. આદર્શો બદલાઈ ગયા છે. જૂનું પુરાણું બધું જરી ગયું છે. હવે તે બધું આપણે છોડવું જ જોઈએ. નવા જમાનાના નવા આદર્શો સ્વીકાર્યું જ છૂટકો. અત્યારે માત્ર ગુરુભક્તિ કે આંધળી શ્રદ્ધાથી, બુદ્ધિ અને તર્કની કસોટીએ ચડાવ્યા વગર કોઈ પણ જૂની કે નવી વાત સ્વીકારવા તૈયાર નથી. તેવે વખતે આપણે અંધશ્રદ્ધાને છોડવી જ રહી. આપણે તો બાળક હિંદુ હોય તો બે વખત સંધ્યા પૂજન કરતું થાય, જૈન હોય તો સામાયિક પ્રતિક્રમણ કરતું થાય અને મુસલમાન હોય તો નમાજ પઢતું થાય એટલામાં જ ધાર્મિક સંસ્કારોની ઇતિશ્રી સમજતા આવ્યા છીએ. પરંતુ એ બધી ક્રિયાઓ કોણ ક્યારે અને કેવી રીતે કરે તેવો વિચાર કરતા શીખ્યા જ નથી. પોતે ધાર્મિક કહેવરાવવા માટે એ બધી ક્રિયાઓ કરે છે માટે બાળકોએ પણ તે ક્રિયાઓ કરવી જ જોઈએ; બસ એ એક જ કારણ બાળક સામે એ ક્રિયાઓ ધરવામાં આપણી પાસે છે. પરંતુ એ રીતે વર્તવું એ ઉત્ક્રમ છે, એ હવે કહેવા જેવું રહ્યું નથી. તે બધી ક્રિયાઓ કરવાને આપણે પોતે પણ હજુ યોગ્ય બન્યા નથી પણ ધાર્મિક અસ્મિતા જાળવવા માટે એ આપણો દંભમાત્ર છે. એ હવે દિવસે દિવસે દીવા જેવું સ્પષ્ટ થતું જાય છે. છતાં બાળકોને પણ શા માટે આપણે દંભી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ એ મને સમજાતું નથી. કોણ એવો વિચારક પુરુષ હશે જે માત્ર ધાર્મિક અસ્મિતા જાળવવા દંભી બનીને, કરાયેલ સામાયિક, પૂજા, નમાજ કે પ્રાર્થના, હું ઊંચો છું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy