SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. ઊગતી પ્રજામાં ધાર્મિક સંસ્કારો શી રીતે સચવાય ? ઉપર ઊગતી પ્રજામાં ધાર્મિક સંસ્કારોનું રક્ષણ કરવું હોય તો કેટલી અને કેવી પૂર્વ તૈયારી આવશ્યક છે તેની નોંધ લીધી છે. હવે ધર્મ અને ધાર્મિક સંસ્કારો કેવા હોય તે વિચારીશું તો છે. અપ્રસ્તુત નહિ ગણાય. અત્યારે સાંપ્રદાયિકતા તો નાશ જ માગી રહી છે. સાંપ્રદાયિકતાના નાશમાં ધર્મનો નાશ નથી થતો તે ભૂલવું ન જોઈએ. ધર્મ તો એક જ હોય છે એટલું જ નહિ પરંતુ અવિનાશી હોય છે. જૈન શાસ્ત્ર જુઓ કે હિંદુ શાસ્ત્ર જુઓ, બાઇબલ તપાસો કે કુરાન ઉથલાવો અથવા તો બીજું કોઈ પણ શાસ્ત્ર વાંચો. ધર્મનાં મૂળ તત્ત્વો એક જ છે એ પ્રતીતિ થયા વિના રહેશે નહિ. પરંતુ એ જુદા જુદા શાસ્ત્રને માનનારાઓની ખેંચતાણને લઈને અત્યારે એ બધા જુદા જુદા જણાય છે. આપણા જીવનનો ઉત્તરોત્તર વિકાસ સાથે તે ધર્મ, અને તેવો ધર્મ આપણા સામાજિક તેમ જ રાષ્ટ્રીય જીવન સાથે સદા અવિરોધી હોવો જોઈએ; હોય જ. અત્યારના પ્રચલિત ધર્મો જો આપણી ઉપર જણાવેલી માનવજીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી પાડી શકે તેવા ન હોય તો તે ગમે તેટલા પ્રાચીન તેમ જ પ્રતિષ્ઠિત ભલે હોય પણ આપણે માટે વજર્ય છે. જયારે દૃષ્ટિ વિશાલ બની હશે, બુદ્ધિ અને તર્કને પૂરેપૂરી સ્વતંત્રતા મળી હશે અને સતત જિજ્ઞાસા જાગતી રહેતી હશે ત્યારે હિંદુઓ બીજાને નાસ્તિક કહેતા ભૂલી જશે, જૈનો કહેવાતા મિથ્યાત્વીઓને પણ પોતાના માની ભેટશે, મુસલમાનોને ક્યાંય કાફર દેખાશે નહિ અને ક્રિશ્ચિયનોને હીધન શોધ્યા જડશે નહિ. જયારે પરિસ્થિતિ આવી થશે ત્યારે જ માનવસમાજ ધર્મને સમજ્યો હશે અને એવા શુદ્ધ વાતાવરણમાંથી ઊગતી પ્રજા ધાર્મિક સંસ્કારો ઝીલશે અને ખરી સંસ્કારી બનવા ભાગ્યશાળી થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy