SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ૦ માથુરી બીજા નીચા અસ્પૃશ્ય એ ભાવનામાંથી જન્મેલ અંત્યજો પ્રત્યેનો ધિક્કાર, પુરુષ શક્તિમાન હોવાથી બધું કરી શકે અને સ્ત્રી તો અશક્ત એ ભાવનામાંથી પેદા થયેલ સ્ત્રીઓને ગુલામ રાખવાની વૃત્તિ, માત્ર ધાર્મિક દંભ સેવવા માટે અમુક વસ્તુ ખાવા ન ખાવાની વૃત્તિ અને એવા જ બીજા કહેવાતા સંસ્કારોને ધાર્મિક સંસ્કાર કહેવાની હિંમત કરી શકશે. ખરું જોતાં તો અત્યારે જેને આપણે ધાર્મિક સંસ્કાર માની બેઠા છીએ તેમાં ધર્મની તો ગંધ સરખીયે નથી. ઊગતી પ્રજા સાચું બોલતી થાય, બીજાને કેવલ કુતૂહલ માટે હેરાન ન કરે, બીજાની વસ્તુ પૂછીને જ લે, બીજા સાથે સહકાર સાધી ગમે તેવું વિકટ કાર્ય કરતી થાય, ઉત્સાહી બને, ધીર બને, નિર્ભય બને, કેવળ શ્રદ્ધા માત્રથી નહિ પણ પોતાની બુદ્ધિમાં ઊતરે તે જ વસ્તુ સ્વીકારતી થાય, અને આવીઆવી બીજી વૃત્તિઓને કેળવે ત્યારે જ ખરી ધાર્મિક સંસ્કારી થઈ ગણાય. એ હવે આ પ્રગતિના જમાનામાં કહેવાનું ન હોય. અને એ બધી વૃત્તિઓને અધાર્મિક કહેવાની કોણ હિંમત કરી શકે એમ છે ? હવે આપણા જૂના પુરાણા કહેવાતા ધાર્મિક સંસ્કારોને છોડવા જ જોઈશે. આપણે ઉપર જણાવેલા સંસ્કારોને જ પોષવા જોઈએ. એ સંસ્કારો તરફ આપણે ઉપેક્ષા કરીએ અને સંધ્યાપૂજન વગેરે તરફ ખૂબ જ ધ્યાન આપીએ તેનું પરિણામ એ આવે કે આખી પ્રજા પોતાને ધાર્મિક સંસ્કારવાળી માને છતાં તેમનામાં ધાર્મિક સંસ્કારનો છાંટો પણ ન મળે. આ પરિણામ કલ્પિત નથી. પરંતુ આપણા જીવન ઉપર દૃષ્ટિપાત કરવાથી સહજ જણાઈ આવશે, કે ભલે આપણે પોતાને સંસ્કારી માનીએ છીએ છતાં આપણે સંસ્કારી નથી જ. શ્રીમાન કાકા સાહેબના શબ્દોમાં કહું તો “વિજ્ઞાનનો આજે આપણે કંઈક વધારે ઉપયોગ કરતા શીખ્યા છીએ એટલા ઉપરથી આપણે એમ ન માની બેસીએ કે જૂના કાળ કરતાં આજનો જમાનો વધારે સંસ્કારી છે. ખરું જોતાં છેલ્લાં સો પચાસ વર્ષમાં મનુષ્યજાતિનું જ્ઞાન અને સામર્થ્ય ભલે વધ્યાં જ છે એમ જ કહેવું જોઈએ. નહિ તો વિશ્વશાંતિ આટલી જોખમમાં આવી ન પડત. માણસમાં માણસાઈ જે જમાનામાં વધારે હોય તે જમાનો સંસ્કારી એ આપણે ભૂલવું ન જોઈએ. આપણે હવે કોઈ પણ રીતે સંધ્યા વગેરેને નહિ પરંતુ સત્ય, અહિંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy