SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મમાં વિશ્વધર્મ બને એવાં તત્ત્વો છે ખરા? • ૧૫૩ અહંતાની છે, મારાપણાની છે. આમાં ધર્મનું તો નામ જ માત્ર છે. આ ઉપરથી આપણે એટલું તો કહી શકીએ કે આ ધાર્મિક લડાઈઓ જો વિશ્વધર્મમાં ન જોઈતી હોય તો એ ધર્મમાં પ્રચલિત કોઈ પણ એક ધર્મને જ માન્ય એવું વિશેષણ–જેના પર તે તે ધાર્મિક લોકોનો મોહ બંધાયો છે. અને જે તેમને પરસ્પર કલહનું કારણ બને છે–ત્ન આપવું જોઈએ. એ હિન્દ નહિ, જૈન નહિ, બૌદ્ધ નહિ, ખ્રિસ્તી નહિ, ઈસ્લામ પણ નહિ. વિશ્વધર્મ એ ધર્મ છે, માત્ર ધર્મ જ છે, બીજું કાંઈ નહિ. એના પ્રવર્તક માત્ર કૃષ્ણ કે રામ નહિ, માત્ર મહાવીર કે બુદ્ધ નહિ, માત્ર ઈસા કે મહમદ નહિ પણ અત્યાર સુધીમાં જે જે મહાન પુરુષોએ જગતને દુઃખ મુક્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે તે બધા જ એ વિશ્વ સંસ્કૃતિના ધાર્મિક મહેલના પ્રણેતા છે. તેમાં કૃષ્ણરામ પણ હોય, મહાવીર અને બુદ્ધ પણ હોય, ઈસુ અને મહમ્મદ પણ હોય પછી એ પ્રવર્તકો માત્ર અમુક જ વર્ગના નથી રહેતા, પણ આખી માનવ જાતિના એ સહિયારા બની જાય છે, તેમને માન આપવાનો, તેમના આદેશોને ઝીલવાનો સૌ કોઈ પ્રયત્ન આદરે છે, અને માનવ સમુદાયના એ બધા પ્રિય થઈ પડે છે. જો આટલી વસ્તુ સ્વીકારીએ, એ સ્વીકારવી જ પડે છે, તો પછી કોઈ પણ ધર્મ માત્ર પોતાનો જ વિશ્વધર્મને યોગ્ય હોવાનો દાવો કરે તો એનો આપણે ઈન્કાર જ કરવો જોઈએ. તો પછી જૈન ધર્મનો એ દાવો શી રીતે સ્વીકારી શકીએ ? ધારો કે વિશ્વધર્મને યોગ્ય ગુણો જૈન ધર્મ ધરાવે છે, પરંતુ બીજા ધર્મો એ ગુણો નથી ધરાવતા એમ તો આપણાથી કહી શકાય એમ છે જ નહિ, તો પછી વિશ્વધર્મ તો જૈન ધર્મ જ થઈ શકે એ કહેવાનો શો અર્થ છે તે સમજાય તેવી વાત નથી. પોતાનો દાવો તો બધા ધર્મવાળા રજૂ કરે છે. એમનો દાવો જો જૈન ધર્માનુયાયી મંજૂર ન કરતા હોય તો બીજા પણ જૈન ધર્મનો દાવો મંજૂર કેવી રીતે રાખી શકે? એટલે યુક્તિ પુર:સર તો એ જ છે કે વિશ્વધર્મ એ અવિશિષ્ટ જ રહે. તેને પ્રચલિત ધર્મનું કોઈ પણ વિશેષણ ન લાગે. પ્રત્યેક ધર્મવાળાએ એવો આગ્રહ જ શા માટે કરવો જોઈએ કે અમારો ધર્મ જ વિશ્વધર્મ થઈ શકે મને તો એ જ સમજાતું નથી. અરે, જો તમને વિશ્વાસ હોય કે તમારા ધર્મમાં એ યોગ્યતા રહેલી છે તો જયાં જયાં વિશ્વધર્મનું આચરણ જુઓ ત્યાં ત્યાં પોતાનો જ ધર્મ પળાઈ રહ્યો છે એમ માની સંતોષ માનો તો એ ઓછું ક્લેશવર્ધક થશે. તે પર તમારા ધર્મના નામની છાપ લાગવી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy