SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર • માથુરી વિચાર અને વાણીનું સ્વાતંત્ર્ય છે. તેમાં કોઈ આડે આવી શકે જ નહિ. સૌ પોતાની રીતે સત્યની શોધ કરી શકે છે, પોતાના વિચાર દર્શાવી શકે છે, તેને દબાવવાનો અધિકાર કોઈને છે જ નહિ. બુદ્ધિ અને તર્કનો ધર્મ સાથે વિરોધ નથી જ. ઊલટું ધર્મની શુદ્ધિ તર્ક અને બુદ્ધિથી થાય છે. વિજ્ઞાન અને ધર્મ પરસ્પરવિરુદ્ધ નથી. પણ ધર્મમાં પ્રવેશ પામતી અશુદ્ધિઓ શોધવાનું કામ વિજ્ઞાન કરે છે. માનવ સમુદાયમાં સ્ત્રી અને પુરુષના સમાન અધિકાર છે. બને માનવ શરીરનાં અવિભાજય અંગો છે. કોઈ પણ પૂર્વગ્રહને સ્થાન છે જ નહિ. પરંતુ સાચું તે સ્વીકારવાની નીતિએ એક જ પૂર્વગ્રહને સ્થાન છે. બધા શાંતિ અનુભવે, બધા સંસ્કારી થાય” The dawn of the New Day ઉપરથી સૂચિત આવી ઉદાત્ત ભાવનાઓને જ વિશ્વધર્મમાં સ્થાન છે. મનની, વચનની કે આચરણની સંકુચિતતાને વિશ્વધર્મમાં અવકાશ નથી જ. - હવે તો બધા ધર્મવાળા બહાર આવીને ઊંચા હાથ કરી કરીને કહેવા લાગ્યા છે. આ બધાં તત્ત્વો અને એ બધી ઉદાર ભાવનાઓને અમારા ધર્મમાં સ્થાન છે એટલે અમારો જ ધર્મ વિશ્વધર્મ થવા યોગ્ય છે. જૈનો પણ પોતાના સૂર એકસરખી રીતે આમાં પુરાવે છે. ખરી રીતે જોઈએ તો આ તત્ત્વો પ્રત્યેક ધર્મના મૂળમાં હતા જ અને છે, એનો ઇન્કાર તો કરી શકાય નહિ. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવે છે કે જો વસ્તુસ્થિતિ એવી છે તો પરસ્પર ધાર્મિક લડાઈની જાદવાસ્થળી કેમ જામી ? આ પ્રશ્નનો જવાબ તેમની પાસે નથી. એ જાદવાસ્થળી ધર્મની નથી, ધર્મના સિદ્ધાન્તની પણ નથી. પરંતુ કોઈ એક ધર્મપ્રવર્તક પ્રત્યે પોતાની ભક્તિ જામી છે; અથવા પોતાના માતાપિતા કોઈ એક ધર્મપ્રવર્તકને માને છે, તેને લઈને પોતે એ ધર્મપ્રવર્તકનો ભક્ત બન્યો છે; અને તે માત્ર ભક્ત જ બન્યો નથી હોતો પણ અંધભક્ત બન્યો હોય છે; તેથી તે પ્રવર્તક પર તેનો મોહ બંધાયો હોય છે. જેનો પોતે પ્રશસ્ત મોહ તરીકે બચાવ કરે છે અને એ મોહવશ બીજા ધર્મ પ્રવર્તકમાં તે ગુણ જોઈ શકતો નથી, પરંતુ પોતાની ટૂંકી દૃષ્ટિને કારણે ગુણ જોવા તો દૂર રહ્યા, પણ દોષદર્શન કરે છે; અહીંથી જ આ પ્રવૃત્તિ અટકતી નથી પણ તે તે પોતાને માન્ય પ્રવર્તકના પ્રસંગાનુસારી ઉપદેશો કે આચરણોને સંપૂર્ણ સત્ય અને ત્રિકાલાબાધિત માની બીજા પ્રવર્તકના ઉપદેશ અને આચારમાં જ્યાં ભેદ જુએ છે ત્યાં તેને મિથ્યા માનતો થઈ જાય છે; આનું પરિણામ ધાર્મિક અસહિષ્ણુતા અને પરસ્પરના ધાર્મિક કલહોમાં આવે છે. એટલે આ લડાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy