SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪૦ માથુરી. જોઈએ એવો આગ્રહ કરવાથી શો ફાયદો ? એવા આગ્રહે તો અત્યારની લડાઈઓને જન્મ આપ્યો છે. વિશ્વધર્મની આવશ્યકતા એ કલહો શમાવવા અર્થે હોય તો પ્રત્યેક ધર્મવાળાએ વિશ્વધર્મ પર પોતાના ધર્મના નામની છાપ લગાવવાનો આગ્રહ છોડવો જ જોઈએ. તો પછી સમજુ જૈનો-વિવેકી કહેવરાવતા જૈનો, ઉદાર કહેવરાવતા જૈનો, અનેકાંતવાદી જૈનો પોતાના ધર્મના નામની છાપ માટે આગ્રહ કરે એ તો તેમને શોભે જ નહિ. આ તો સામાન્ય વિચાર થયો, હવે જૈનના દાવાનો વિચાર જરા વિસ્તારથી કરીએ. જૈનો પોતાના ધર્મને વિશ્વધર્મને યોગ્ય હોવાનો દાવો તો જોરશોરથી કરે છે, પણ પોતાની ત્રુટિઓનું તેમને ભાન નથી. જૈન ધર્મને વિશ્વધર્મ બનાવવો હોય તો સૌથી પહેલાં પ્રચારની આવશ્યકતા છે, ખુદ જૈનોની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, ત્યાં નવા જૈનો બનાવવાની તો વાત જ ક્યાં રહી ? જૈનોમાં પોતાની સંખ્યા છે તેને જ ટકાવી રાખવા જેટલું બળ નથી ત્યાં નવા જૈનો તો કેવી રીતે બનાવી શકાય ? પ્રચારના સાધનમાં ખાસ કરી સેવા છે. એ સેવા દ્વારા ક્રિશ્ચિયનોએ પોતાની સંખ્યા વધારી છે. અને પ્રચારનું બીજું સાધન ત્યાગીઓનું ભ્રમણ છે. ખાસ કરીને ભ્રમણ દ્વારા બૌદ્ધ ભિક્ખઓએ બૌદ્ધ ધર્મને દુનિયાના ધર્મોમાં સંખ્યાની દૃષ્ટિએ પ્રથમ સ્થાન અપાવ્યું છે. સેવા અને ભ્રમણ એ બન્નેને નામે જૈનોમાં મોટું મીંડું છે. જૈનોની સેવા હજુ સમસ્ત માનવ જાત સુધી પહોંચી જ નથી. જૈનોની સેવાનું ક્ષેત્ર પાંજરાપોળ સુધી છે. અને પાંજરાપોળમાં પણ થતી સેવાને સેવા કહેવી કે કુસેવા એ પણ ચર્ચાનો વિષય છે. જૈનોની દૃષ્ટિ માનવ જાત સુધી પહોંચાડતા હજુ કેટલી સદીઓ જોઈશે એ કહેવું મુશ્કેલ છે. જો જૈન ધર્મનો ફેલાવો વિશ્વમાં કરવો હોય તો માનવ સેવાના પ્રબળ સાધન દ્વારા જ થઈ શકે અને એ તત્ત્વની જ ખુદમાં ખામી ત્યાં જૈન ધર્મને વિશ્વ ધર્મ બનાવવાની આશા સેવવી એ અસ્થાને નથી શું ? વળી દીન-દુઃખીની સેવા કરવી એ જૈન સાધુઓ પોતાનો ધર્મ માનતા જ નથી. અવ્રતીની સેવામાં તો તેમને ન જાણે કેટકેટલી ક્રિયા લાગી જાય છે ? એક સાધુ હરિજનોમાં બહુ બહુ તો ઉપદેશ દેવા સિવાયનું કાંઈ શારીરિક કાર્ય કરવા માગે તો તે સર્વથા નિષિદ્ધ મનાયું છે અને જો કોઈ ભલા સાધુને હિરજન કે ઇતર જનની શારીરિક સેવા કરવાનું મન થાય તો તેને સાધુ સંસ્થામાંથી રાજીનામું આપવા સિવાય બીજો રસ્તો જ નથી. જ્યાં સાધુઓની આ સ્થિતિ છે, ત્યાં ગૃહસ્થોમાં સેવાની ભાવના કેવી રીતે આવી શકે ? અને સેવા વિના જગતને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy