SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ માથુરી અને એ મૂછત્યાગનો આધાર મનુષ્યનો પોતાનો પુરુષાર્થ છે. તેમાં કોઈની પણ કૃપા કામ કરી શકતી નથી. આપણે ભગવાનના જીવનનો અભ્યાસ કરીશું તો જણાશે કે ગૌતમ તેમના અનન્ય ઉપાસક હતા. અને તેઓ ભગવાનને સર્વસ્વ માનતા. એમ પણ કહી શકાય કે તેમની ભગવાનું પ્રત્યેની ભક્તિ સૂક્ષ્મ મૂછ-મોહમાં પરિણમી હતી. આ સૂક્ષ્મ મોહ જ તેમના કૈવલ્યમાં બાધક હતી એ ભગવાનું પણ સારી રીતે જાણતા હતા. ભક્તિ અને મોહમાં જે ભેદ છે—જે સૂક્ષ્મ ભેદ છે તેનું રહસ્ય ભગવાને સ્વયં તેમના જીવનની અંતિમ ક્ષણોમાં બતાવવા માટે ગૌતમને પોતાથી અળગા કર્યા. ગૌતમને પોતાને જીવનભર એ દુઃખ રહ્યું હતું કે, મારા પોતાના શિષ્યો કૈવલ્યને પામ્યા છતાં હું કેમ કૈવલ્ય પ્રાપ્ત કરતો નથી ! પણ તેમની પોતાની સૂક્ષ્મ મૂછ તેમાં બાધક હતી તેનો ખ્યાલ તેમને ન હતો. આ રોગનું નિદાન ભગવાને કર્યું. પોતાના નિર્વાણ સમયે જ ગૌતમને પોતાથી અળગા કર્યા અને પોતે નિર્વાણ પામ્યા. આ વાતની ખબર જ્યારે તેમને પડી ત્યારે જ ગૌતમે પોતાના જીવનમાં એક અપૂર્વ આંચકો અનુભવ્યો. તેમને લાગ્યું કે ભગવાનની આ કેવી નિર્મમતા કે અંતિમ ક્ષણે જ મને અળગો કર્યો. જીવનભરના સાથીની આવી ઉપેક્ષા માટે તેમને ક્ષણભર રોષ પણ આવ્યો અને રોષમાંથી જ તેમના જીવનના ઉદ્ધારને માર્ગે વળ્યા. તેમણે વિચાર્યું કે મેં ભગવાનની અનન્ય ભાવે ઉપાસના તો કરી પણ મારા પોતાની “આત્માની ઉપાસના' ચૂકી ગયો. ઉપાસના આવશ્યક છે પણ તેમાં જીવ જો પોતાના આત્માને જ ચૂકી જાય તો તે ઉપાસના ગમે તેટલી તીવ્ર હોય છતાં તે પોતાનો ઉદ્ધાર તો કરી શકે નહિ એટલે ઉપાસના એ ઉપાસના ખાતર જ નહિ, ઉપાસ્ય ખાતર પણ નહિ પણ ઉપાસકના “આત્મા' ખાતર જ છે એનું ભાન સતત રહેવું જોઈએ. આવું ભાન જો રહે તો ઉપાસક ઉપાસના ગમે તેની કરે પણ તે ઉપાસનાનું પરિણામ તો પોતાની ઉપાસનામાં જ આવે અને ત્યારે જ તે પોતાનો ઉદ્ધાર પોતે કરી શકે. ભગવાનનો હું અનન્ય ઉપાસક છતાં તેમને મારામાં રાગમોહ હતો નહિ એટલે જ તેઓ મારા જેવા અનન્ય ઉપાસકને પણ છોડી શકયા મારા પ્રત્યેનો રાગ તેમને બાંધી શક્યો નહિ, મારી ઉપાસના તેમને રોકી શકી નહિ, તો મારો પણ એ જ માર્ગ હોઈ શકે. તેઓ મારા ઉપાસ્ય ખરા પણ મારી મહાવીરની ઉપાસના મારા પોતાના આત્માની ઉપાસનાના એક સાધનરૂપ જ છે. તેમની ઉપાસના કરતો કરતો હું જો મારા આત્માની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy